Rajkot: એર ઇન્ડિયાની ફ્લાઇટ પાંચ કલાકે પણ ન ઉપડતા મુસાફરોનો હોબાળો
સમગ્ર ઘટના એવી હતી કે એર ઇન્ડિયાની ફલાઈટનો AI-404 નો સમય 3.30 વાગ્યોનો હતો. તેમ છતાં આ ફ્લાઇટ સાંજે સાત વાગ્યા સુધી પણ ઉપડી ન હતી. ટેકનિક ખામીને કારણે ફલાઇટ ઉપડી ન હતી. રાજકોટથી આ ફ્લાઇટ દિલ્હી ફ્લાઈટ જવાની હતી, જેના કારણે દિલ્હીથી વિદેશ જતા મુસાફરોને કનેકટીંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી.
રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર ગત રોજ સાંજના સમયે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એર ઈન્ડિયાની (Air india) ફ્લાઈટ પાંચ કલાક બાદ પણ ન ઉપડતાં કલાકોથી કંટાળેલાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાને પગલે એરપોર્ટનો સિક્યુરિટી સ્ટાફ પણ દોડી આવ્યો હતો. રાજકોટથી દિલ્લી જનારી AI-404માં ખામીને કરાણે100 ઉપરાંત જેટલાં મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા, તો વિદેશ જતાં કેટલાય મુસાફરોની કનેક્ટિંગ ફ્લાઈટ રદ કરવી પડી હતી. એરપોર્ટ ઉપર એર ઈન્ડિયાની AI-404 ફ્લાઈટ રાજકોટથી દિલ્હી (Delhi) જતી ફ્લાઈટનો શિડ્યુલ બપોરે 3.30 વાગ્યાનો હતો. જો કે, નિયત સમય વિતી ગયો હોવા છતાં પણ ફ્લાઈટ સાંજે 7 વાગ્યા સુધી ઉપડી ન હતી. પાંચ કલાક સુધી એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોઈ બેસેલાં મુસાફરોની ધીરજનો અંત આવી ગયો હતો. બીજી બાજુ એર ઈન્ડિયાના સ્ટાફ દ્વારા પણ સરખો જવાબ ન અપાતાં એરપોર્ટ પર મુસાફરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
એરપોર્ટ પર મુસાફરોએ અધિકારીઓનો લીધો ઉધડો
સમગ્ર ઘટના એવી હતી કે એર ઇન્ડિયાની ફલાઈટનો AI-404 નો સમય 3.30 વાગ્યોનો હતો. તેમ છતાં આ ફ્લાઇટ સાંજે સાત વાગ્યા સુધી પણ ઉપડી ન હતી. ટેકનિક ખામીને કારણે ફલાઇટ ઉપડી ન હતી. રાજકોટથી આ ફ્લાઇટ દિલ્હી ફ્લાઈટ જવાની હતી, જેના કારણે દિલ્હીથી વિદેશ જતા મુસાફરોને કનેકટીંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી. મસમોટા ભાડા ખર્ચીને વિદેશની ટીકીટ લીધી હતી તેમને ગંતવ્ય સ્થાને જવાની ફલાઇટ પણ ન મળી હતી. મુસાફરોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે સંબંધિત અધિકારીઓએ આ મુ્દે યોગ્ય જવાબ પણ આપ્યો નહોતો અને વૃદ્ધ મુસાફરો તેમજ બાળકો વાળા મુસાફરો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા.