RAJKOT : નાકના મસાના ઓપરેશન બાદ યુવાનનું મોત, પરિવારજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો

મૃતક યુવકના પરિવારજનો માંગ કરી રહ્યાં છે કે શાંતિ હોસ્પિટલમાં ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 5:10 PM

RAJKOT : રાજકોટના યુનિવર્સિટિ રોડ પર આવેલી શાંતિ હોસ્પિટલમાં ઓપરેશનમાં યુવાનનું મોત થયાની ઘટના સામે આવી છે. નાકના મસાનું ઓપરેશન માટે દાખલ યુવાનનું મોત નિપજ્યું છે.યુવાનના મોતના પગલે તેના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.ડોક્ટરની બેદરકારીએ મોત થયું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે,ત્યારે ડોક્ટર ડૉ નિર્મળ મહેતાએ આક્ષેપનો રદીયો આપતા જણાવ્યું કે દર્દીનું હૃદય બંધ થઈ જતા મોત થયું છે.

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી શાંતિ હોસ્પિટલમાં સાગર રબારી નામના 25 વર્ષીય યુવકનું આજે 29 નવેમ્બરે સવારે નાકના મસાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પૂર્ણ થયા બાદ ગણતરીની મિનીટોમાં આ યુવાનનું મૃત્યુ થયું હતું. મૃતક યુવકના પરિવારજનોએ ડોક્ટરની બેદરાકરીને કારણે પુત્રનું મોત થયું હોવાના આક્ષેપ લગાવ્યાં છે, અને યોગ્ય ન્યાયની માંગણી કરી હતી.

આ મામલો એ હદે પહોચ્યો હતો કે મૃતક યુવકના પરિવારજનોએ શાંતિ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ સાથે મારામારી કરી હતી અને ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. બીજી તરફ શાંતિ હોસ્પિટલના ડો.નિર્મળ મહેતાએ યુવકના મોત અંગે ખુલાસો કર્યો હતો કે યુવકનું મોત હૃદય બંધ થઈ જવાના કારણે થયું છે. મામલો ઉગ્ર બનતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. મૃતક યુવકના પરિવારજનો માંગ કરી રહ્યાં છે કે શાંતિ હોસ્પિટલમાં ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો : વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીને રદ કરવાની અટકળો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

આ પણ વાંચો : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે લોકસભા અધ્યક્ષને PM MODI અંગે લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર મામલો

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">