Rajkot: 12 ઈંચ વરસાદથી કાગદડી ગામમાં જળબંબાકારની સ્થિતિ, 100 વર્ષમાં ક્યારેય ના વરસ્યો હોય તેવો વરસાદ

હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજકોટ (Rajkot) નજીક કાગદડી ગામમાં પણ ભારે તારાજી સર્જાઈ છે.

Rajkot: 12 ઈંચ વરસાદથી કાગદડી ગામમાં જળબંબાકારની સ્થિતિ, 100 વર્ષમાં ક્યારેય ના વરસ્યો હોય તેવો વરસાદ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 26, 2021 | 9:24 PM

રવિવારે રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા (Rain) મન મૂકીને વરસ્યા હતા. જો કે તેમાં રાજકોટ મોરબી હાઈ વે પર આવેલા કાગદડી (Kagdadi) ગામમાં ભારે તારાજી સર્જાઈ છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે માત્ર દોઢથી બે કલાકના સમયમાં આ ગામમાં 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. કોઈનું ખેતર ધોવાયું તો કોઈના પશુઓ તણાયા હતા. કોઈના ઘરની ઘરવખરી તણાઈ તો કોઈના ઘરે પડેલું તૈયાર અનાજ પલળી ગયું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારે વરસાદને કારણે માલધારીઓના વંડામાં રહેલા પશુઓ તણાઈ ગયા હતા. વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. નદી કાંઠે આવેલા ખેતરોમાં તો એવી સ્થિતિ થઈ હતી કે જાણે ખેતર નહીં કોઈ નદીનો ખાલી પટ્ટ હોય. ગામના વડીલોનું કહેવું હતુ કે 100 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય તેવી તારાજી સર્જાઈ હતી. જો વધારે વરસાદ આવ્યો હોત તો સ્થિતિ વધુ ગંભીર બની હોત.

ખેતરમાં પાક ધોવાયો, ઘરમાં ઘરવખરી

એક તરફ ખેતરોમાં એટલું ધોવાણ થયું છે કે વાવેતર કર્યુ છે કે નહીં તે ખબર ન પડે તે રીતે પટ્ટ થઈ ગયા છે તો અનેક ઘરોની ઘરવખરી વરસાદમાં પલળી ગઈ છે. ખેડૂતે મહેનત કરીને વાવેલું લસણ, ઘઉં, ચણા, જીરૂ, રઈ સહિતના તૈયાર પાક પલળી ગયા છે તો અનેક ઘરોમાં વાવેતરનું ખાતર અને પશુઓ માટેનો ચારો પલળી ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષ પહેલા વરસાદમાં જ ફેલ થયું છે હવે સીધું શિયાળું વાવેતર લઈ શકાશે, ત્યારે સરકારે આ અંગે સહાય કરવી જરૂરી છે.

ગામમાં હાથ ધરાયો સર્વે

આ તરફ ગામના સરપંચ અને તલાટી મંત્રી દ્વારા ગામમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગામના તલાટી મંત્રી સ્નેહલ મકવાણાના કહેવા પ્રમાણે મૃત્યુ પામેલા પશુઓ, ખેતીના પાકને થયેલા નુકસાન અને ઘર વખરીમાં થયેલા નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને તાત્કાલિક સહાય ચૂકવાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ગામમાં અનેક પશુઓ તણાઈ ગયા છે, જ્યારે સૌથી વધારે નુકસાન ઘરવખરીને થયું છે. બીજી તરફ સરપંચ દેવ કોરડીયાના કહેવા પ્રમાણે કાગદડી ગામની સ્થિતિ અંગે ડીડીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખને માહિતી અપાઈ રહી છે અને ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ સહિત તમામ લોકો દ્વારા ટૂંક સમયમાં સર્વે પૂર્ણ કરીને સહાયની ચૂકવણી કરવામાં આવશે.

આ પણ વાંચો: Surat: જ્યાં સારવાર કરાવવા દર્દીઓ જાય એ સિવિલ હોસ્પિટલ જ છે મચ્છરોનું ઘર?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">