Rajkot: જેતલસર હત્યાકાંડ બનાવના પગલે હાર્દિક પટેલે પરિવારને આપી સાંત્વના, અગાઉ CR પાટીલે લીધી હતી મુલાકાત

Rajkot: જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક યુવતીની ભર બપોરે હત્યા થઈ હતી, ગામમાં રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ રૈયાણીની હત્યા તેના જ ઘરે અસંખ્ય છરીના ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી.

Rajkot: જેતલસર હત્યાકાંડ બનાવના પગલે હાર્દિક પટેલે પરિવારને આપી સાંત્વના, અગાઉ CR પાટીલે લીધી હતી મુલાકાત
Hardik Patel
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 22, 2021 | 11:56 PM

Rajkot: જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક યુવતીની ભર બપોરે હત્યા થઈ હતી, ગામમાં રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ રૈયાણીની હત્યા તેના જ ઘરે અસંખ્ય છરીના ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જે બનાવને લઈને સામાજિક-રાજકીય આગેવાનો મુલાકાત લઈ રહ્યા છે. હાર્દિક પટેલે પણ પીડિત પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી.

16 માર્ચના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સૃષ્ટિ રૈયાણીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જે બાદ સૌરાષ્ટ્રભરમાં મામલો ગરમાતા તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. સોશિયલ મીડિયામાં લોકોએ આરોપીઓને દબોચી પાડી સખ્ત કાર્યવાહી કરવા મામલે અવાજ ઉઠાવતા પોલીસે 48 કલાકમાં જ આરોપીને દબોચી પાડ્યો હતો. જોકે આરોપી જયેશ સરવૈયાને ફાંસીની સજા આપવાની માંગ પ્રબળ બનતા રાજકીય મામલો ફરી એક વખત ગરમાયો છે.

જેતપુર તાલુકાના જેતલસર ગામની સૃષ્ટિ રૈયાણી મર્ડર કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સગીરાના પરિવારજનોની મુલાકાત કરી હતી. સગીરાના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પ્રદેશ પ્રમુખની સાથે જિલ્લા ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ પણ બપોરે 4 કલાકે સગીરાના પરિવારજનોની મુલાકાત લીધી હતી.

હાર્દિક પટેલની પરિવારની મુલાકાત અગાઉ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ મૃતક સગીરાના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સાથે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા. કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું કે સગીરાને ન્યાય મળે તે માટે પોક્સોની કલમ ઉમેરવામાં આવશે તો મુખ્યપ્રધાને પણ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે તે માટે આદેશ કર્યો અને ધારદાર રજૂઆત કરી શકાય તે માટે આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂંક કરવામાં આવશે.

આ પણ વાંચો: Surat મહાનગરપાલિકાએ પ્રજાને આપી મોટી રાહત, 25 ચોરસ મીટર સુધીની મિલકતોના વેરામાં ઘટાડો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">