Rajkot: આજી ડેમમાંથી છોડેલું પાણી કેનાલમાં ન પહોંચતા, ડુંગરકા ગામનાં ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ
Rajkot : આજી ડેમમાંથી છોડેલું પાણી હજુ અનેક ગામડાઓમાં પહોચ્યું નથી , ત્યારે ડુંગરકા (Dungarka) ગામનાં ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોને ખરીફ પાકનાં (Kharif Crop) પિયત માટે પાણીની જરૂર છે, પરંતુ પાકને પાણી ન મળતા હાલ અનેક ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે.
Rajkot : આજી ડેમમાંથી છોડેલું પાણી હજુ અનેક ગામડાઓમાં પહોચ્યું નથી , ત્યારે ડુંગરકા (Dungarka) ગામનાં ખેડૂતોએ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે. ખેડૂતોને ખરીફ પાકનાં (Kharif Crop) પિયત માટે પાણીની જરૂર છે, પરંતુ પાકને પાણી ન મળતા હાલ અનેક ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે.
સામાન્ય રીતે,હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતમાં 13 જુનથી ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ વરસાદી પરિબળો સક્રિય ન થવાથી વરસાદ ખેંચાયો છે, ત્યારે હાલ ખેડુતોની “એક સાંધે ત્યાં તેર તુટે “જેવી સ્થતિ સર્જાય છે.
આજી ડેમમાંથી છોડેલું પાણી હજુ સુધી અનેક ગામડાઓની કેનાલમાં પહોંચ્યું નથી, ત્યારે ખરીફ પાકની વાવણી કરી ચુકેલા ડુંગરપુરનાં ખેડુતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે.
8 જુનનાં રોજ કેનાલમાં (Canal)છોડાયેલું પાણી હજુ સુધી ગામડે ન પહોંચતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે, ખરીફ પાકોમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે હાલ પાકોને નિયત સમયે પાણી ન મળતા ખેડુતોને બીજી વાર વાવણી કરવાની નોબત આવતા ખેડુતોએ અર્ધનગ્ન થઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે.
આજી ડેમમાંથી છોડેલું પાણી હજુ અનેક ગામડે પહોચ્યું નથી અને અને જે ગામમાં પાણી પહોંચ્યું છે તે પાણીને જોઈને પણ ખેડૂતો (Farmer) સાથે મજાક કરી હોય તેવું લાગી રહ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે, “દર વર્ષે એક જૂનના રોજ આજી ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. પરંતુ, આ વર્ષે 15 દિવસથી પણ વધુ સમય વિતી ગયો છતા પાણી છોડવામાં આવ્યું નથી.”