Rajkot: ધોરાજીના ખેડૂતોને હાલાકી, મંથર ગતિએ ચાલી રહી છે ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી

ટેકાની ખરીદીને લઈને ફરી ખેડૂતને હેરાન થવાનો વારો આવ્યો છે. આ વખતે ધોરાજીના ખેડૂતો ઘઉં અને ચણાની ટેકાને ભાવે ખરીદીમાં હાલાકી ભોગવી રહ્યાં છે.

Rajkot: ધોરાજીના ખેડૂતોને હાલાકી, મંથર ગતિએ ચાલી રહી છે ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી
File Photo
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 7:11 PM

ટેકાની ખરીદીને લઈને ફરી ખેડૂતને (Farmers) હેરાન થવાનો વારો આવ્યો છે. આ વખતે ધોરાજીના ખેડૂતો ઘઉં અને ચણાની ટેકાને ભાવે (MSP) ખરીદીમાં હાલાકી ભોગવી રહ્યાં છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે, ખેડૂતલક્ષી આવી હાલાકીને અંત ક્યારે આવશે?

ધોરાજીમાં ટેકાના ભાવે ચાલતી ઘઉં અને ચણાની ખરીદીમાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા ગોકળગતિએ ચાલી રહી હોવાનો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ લગાવ્યો છે. સરકારી તંત્રમાં સંકલનનો અભાવ, ટેકનિકલ ખામી, બારદાનની અછત અને સ્ટાફના અભાવે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

વાવણીની સીઝન હોઇ ત્યારે ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદ પ્રક્રિયામાં કલાકો રાહ જોવી પડે છે. આ તરફ મજૂર અને ગ્રેડર ઓછા હોવાના કારણે ખરીદ પ્રક્રિયા વિલંબ થઇ રહ્યો હોવાનું ખુદ સરકારના કર્મચારી પણ સ્વીકારી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ટેકાની ખરીદીને લઈને વારંવાર ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આવા સમયે ખેડૂતલક્ષી પગલાંઓની સત્વરે અમલવારી કરીને ખેડૂતોને વધુ લાભ પહોંચાડવો જરૂરી છે.

તો બીજી તરફ રાજકોટ ડુંગરકા ગામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. આજી 2માંથી છોડેલું પાણી હજુ અનેક ગામડે પહોચ્યું નથી. કેનાલમાં 8 તારીખે પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી પાણી પહોંચ્યું નથી. ખેડૂતોએ વાવણી કરી નાંખી છે અને પાણીના અભાવે વાવણી બીજીવાર કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

જે ગામ પાણી પહોંચ્યું છે તે પાણીને જોઈને પણ ખેડૂતો સાથે મજાક કરી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોના કહેવા મુજબ દરવર્ષે 1 જૂનના રોજ પાણી છોડવામાં આવે છે, પરંતુ આ વર્ષે 15 દિવસ વીતિ ગયા છે તેમ છતા પાણી છોડવામાં આવ્યું નથી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">