RAJKOT : ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ સંક્રમિત, દરરોજ રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસ
રાજકોટમાં પોઝિટિવ કેસનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે હવે સામાજિક આગેવાનો અને નેતાઓ પણ તેમાંથી બાકાત નથી. ખોડલધામના પ્રણેતા અને પ્રમુખ નરેશ પટેલ અને તેમના પત્નિ બંન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયા છે.
રાજકોટમાં પોઝિટિવ કેસનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે હવે સામાજિક આગેવાનો અને નેતાઓ પણ તેમાંથી બાકાત નથી. ખોડલધામના પ્રણેતા અને પ્રમુખ નરેશ પટેલ અને તેમના પત્નિ બંન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયા છે.આ ઉપરાંત કોંગ્રેસના પીઢ આગેવાન જસવંતસિંહ ભટ્ટી અને તેમના પત્નિ તથા પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં જસવંતસિંહ ભટ્ટીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના પત્નિ અને પુત્ર હોમ આઇસોલેટ છે. આ ઉપરાંત ભાજપના નેતા કાશ્મિરાબેન નથવાણી બન્ચીંગ પેટર્નનો શિકાર બન્યા છે.અને તેમના આખા પરિવારને કોરોના સંક્રમિત થયા છે.
શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે અને દરરોજ રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસ આવી રહ્યા છે છેલ્લા એક સપ્તાહમાં સરેરાશ 350 થી 400 જેટલા કેસ આવી રહ્યા છે અને હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. મુખ્યપ્રધાનની મુલાકાત બાદ હવે ટેસ્ટીંગ પર ભાર મુકવામાં આવ્યો છે અને મનપા દ્રારા ટેસ્ટીંગ બુથ અને ધનવંતરી રથમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
વહીવટી તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ નંબર પરથી લોકોને 24 કલાક હોસ્પિટલમાં ખાલી બેડની માહિતી મળી શકશે. તેમજ રેમડેસિવિર ઇજેક્શનની વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ નંબર નીચે આપ્યા છે.
1.94998 04038 2.94998 06486 3.94998 01338 4.94998 06828 5.94998 01383
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 150 દર્દીને સમાવી શકાય તેવું પ્રથમ તબક્કાનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઇ રહ્યું છે. અહીં હળવા લક્ષણો ધરાવતા જે દર્દીઓ કે જેમને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને માત્ર ડોક્ટરની ભલામણને આધારે ભરતી કરાશે. સિવિલ હોસ્પિટલની જેમ જ સંપૂર્ણ ફ્રીમાં દવા, જમવાનું સાથે મેડિકલ સ્ટાફની ટેમ્પરરી નિમણુંક કરીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે.