RAJKOT : 3 માસની શિવાનીએ 14 દિવસ બાદ કોરોનાને આપી મ્હાત
કોઇ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિથી બચવા માટે શિવાનીને રૂમ એર પર રાખવામાં આવી. તેણીને સાવ સારૂં થઇ જતાં અને અન્ય કોઇ પણ ગંભીર બીમારી ન હોવાથી આજે 22 સપ્ટેમ્બરે શિવાનીને પી.ડી.યુ. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
3 માસની બાળકીએ કોરોનાને આપી મ્હાત
રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલના પિડ્યાટ્રીક વિભાગમાં સારવાર લઇ રહેલી ૩ માસની શિવાનીએ 14 દિવસ બાદ કોરોનાને મ્હાત આપી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દોમડા ગામની માત્ર ત્રણ માસની ઉંમરની શિવાની સુનીલભાઇ સોલંકી નામની બાળકીને ગત તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસથી શરદી, ઉધરસ અને તાવના લક્ષણો અને છેલ્લા એક દિવસથી શ્વાસ લેવાની તકલીફ સાથે રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.
શિવાનીને શ્વાસની ગંભીર સમસ્યા હતી
એ જ દિવસે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં શિવાનીને કોરોના સંબંધી સારવાર શરૂ કરવામાં આવી હતી. શિવાનીને શ્વાસની ગંભીર સમસ્યા હોવાથી તાત્કાલિક હાઇ ફલો ઓક્સિજન મશીન પર રાખવામાં આવી હતી. આઠ દિવસ સુધી સતત ઓક્સિજન અને અન્ય સઘન સારવારના પરિણામે શિવાનીને શ્વાસ લેવામાં થોડી રાહત થઇ. અને 17 સપ્ટેમ્બરે તો શિવાની જાતે શ્વાસ લેતી થઇ જતાં સાદા ઓક્સિજન પર શિફટ કરવામાં આવી.
આજે શિવાનીને હોસ્પિટલમાંથી રજા અપાઇ
કોઇ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિથી બચવા માટે શિવાનીને રૂમ એર પર રાખવામાં આવી. તેણીને સાવ સારૂં થઇ જતાં અને અન્ય કોઇ પણ ગંભીર બીમારી ન હોવાથી આજે 22 સપ્ટેમ્બરે શિવાનીને પી.ડી.યુ. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
આ અંગેની વિગતો આપતાં પી.ડી.યુ.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શિવાનીની સારવાર તજજ્ઞ પીડિયાટ્રીકસ ડોકટર્સ દ્વારા કરવામાં આવી, અને શિવાનીને ૧૪ દિવસની સઘન સારવારના પ્રતાપે કોરોના જેવી બીમારીમાંથી બચાવી શકાય છે. ત્યારે 3 માસની બાળકી સ્વસ્થ થતા હોસ્પિટલ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
રાજકોટમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવ્યા
રાજકોટ શહેરમાં કોરોના કાબુમાં છે. જોકે રાજકોટ શહેરમાં એક સાથે ત્રણ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. રાજકોટ શહેરમાં દિલ્લી અને હરિદ્વાર ફરવા ગયેલા એક દંપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કાલાવડ રોડ પર એક હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિધાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે.
આ પણ વાંચો : Viral: ફરજનિષ્ઠ પોલીસકર્મીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને તમે પણ કહેશો “પુલીસ હો તો ઐસા”
આ પણ વાંચો : Corona Death Compensation: કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યુ, કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનને અપાશે 50 હજાર