PM Modi In Gujarat: PM મોદી આજે ગુજરાત પ્રવાસે, ચૂંટણી પહેલા પાટીદાર સમાજનો વિશ્વાસ કેળવવા કવાયત
તેમની ગુજરાત મુલાકાત અંગે પીએમ મોદી(PM Modi)એ ટ્વિટ કર્યું, "આજે ગુજરાતમાં(Gujarat) હશે, જ્યાં હું રાજકોટ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપીશ. આ કાર્યક્રમોમાં આરોગ્યસંભાળ, સહકારી અને ખેડૂતોના કલ્યાણ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે."
PM Modi In Gujarat: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે જ્યાં તેઓ નવી બાંધવામાં આવેલી હોસ્પિટલની મુલાકાત લેશે, સહકારી વડાઓની કોન્ફરન્સને (Conference of Cooperative Heads) સંબોધશે અને નેનો યુરિયા પ્લાન્ટ (Nano urea liquid plant) નું ઉદ્ઘાટન પણ કરશે. આજની મુલાકાત અંગે માહિતી આપતાં ખુદ પીએમ મોદીએ ત્રણ ટ્વીટમાં જણાવ્યું હતું કે તેઓ આજે ગુજરાત(Gujarat)માં હશે અને રાજકોટ (Rajkot)અને ગાંધીનગર (Gandhinagar)માં અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. એવું માનવામાં આવે છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીનો પ્રયાસ પાટીદાર સમાજ(Patidar Community) સુધી પહોંચવાનો છે કારણ કે 2017ની ચૂંટણીમાં આ સમાજ ભાજપથી નારાજ હતો.પોતાના પહેલા ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, આજે ગુજરાતમાં હશે, જ્યાં હું રાજકોટ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપીશ. આ કાર્યક્રમોમાં આરોગ્યસંભાળ, સહકારી અને ખેડૂતોના કલ્યાણ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
Will be in Gujarat today, where I will be attending programmes in Rajkot and Gandhinagar. These programmes cover key sectors such as healthcare, cooperatives and farmer welfare. https://t.co/xgbcRSAPnR
— Narendra Modi (@narendramodi) May 28, 2022
સહકારી ક્ષેત્રની પ્રગતિમાં મોટી ભૂમિકા: PM મોદી
વડા પ્રધાન મોદીએ તેમના આગામી ટ્વીટમાં જણાવ્યું હતું કે સવારે 10:30 વાગ્યે હું માતુશ્રી ‘KDP મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ’ની મુલાકાત લઈશ, જે સૌરાષ્ટ્રમાં લોકોની આરોગ્ય સંબંધિત જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમના આગામી ટ્વીટમાં, તેમણે કહ્યું, “હું ગાંધીનગરમાં સાંજે 4 વાગ્યે ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના દિગ્ગજ લોકોમાં સામેલ થવા માટે આતુર છું.
At 10:30 AM will visit the Matushri K.D.P. Multispeciality Hospital, which would play a key role in addressing healthcare needs of people in Saurashtra.
— Narendra Modi (@narendramodi) May 28, 2022
વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન મોદી રાજકોટના આટકોટ ખાતે નવનિર્મિત ‘મથુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ’ની મુલાકાત લેશે. તેઓ એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. નિવેદન અનુસાર, બપોરે ચાર વાગ્યે વડાપ્રધાન સહકારથી સમૃદ્ધિ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના વડાઓની પરિષદને પણ સંબોધિત કરશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
PM કલોલમાં નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર દેશ માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યના સહકારી ક્ષેત્રની 84,000 થી વધુ મંડળીઓમાં લગભગ 231 લાખ સભ્યો છે. ગુજરાતમાં સહકારી ચળવળને વધુ મજબૂત કરવા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે “સહકાર સે સમૃદ્ધિ” સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સહકારી સંસ્થાઓના વડાઓ ભાગ લેશે. સંમેલનમાં રાજ્યની સહકારી સંસ્થાઓના સાત હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
PM કલોલમાં નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન ખેડૂતોને ઉત્પાદન વધારવા અને આવક વધારવામાં મદદ કરવા માટે કલોલમાં IFFCO ખાતે રૂ. 175 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી રાજકોટમાં નવનિર્મિત ‘મથુશ્રી કેડીપી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ’ની મુલાકાત લેશે. જેનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. આ વિસ્તારના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.