વિરોધ પક્ષના નેતાએ ટ્વીટ કરેલો વીડિયો રાજકોટનો, કોંગ્રેસે કહ્યું ‘સસ્તી પ્રસિદ્ધી’,ભાજપે કહ્યું ‘બુદ્ધિનું પ્રદર્શન’

થોડા સમય પહેલા સસ્તા અનાજની દુકાનનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે.

વિરોધ પક્ષના નેતાએ ટ્વીટ કરેલો વીડિયો રાજકોટનો, કોંગ્રેસે કહ્યું 'સસ્તી પ્રસિદ્ધી',ભાજપે કહ્યું 'બુદ્ધિનું પ્રદર્શન'
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 28, 2021 | 11:05 PM

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) આજે પોતાના ટ્વીટર પર સસ્તા અનાજની દુકાનનો એક વીડિયો વાયરલ કર્યો, જેમાં તેઓએ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સસ્તા અનાજની દુકાન બહાર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વહેંચવામાં આવેલી થેલીને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા, પરેશ ધાનાણીએ ટ્વીટ કરેલો આ વીડિયો રાજકોટના (Rajkot) જિલ્લા ગાર્ડન નજીક આવેલા જૂની જેલ રોડ પરનો હોવાનું સામે આવ્યું છે.

અહીં રહેતા ગોપાલ ચાવડા નામના વ્યક્તિએ આ વીડિયો ઉતારેલો હતો. ગોપાલ ચાવડાએ કહ્યું હતુ કે પોતે જ્યારે આ વિસ્તારમાંથી પસાર થયો, ત્યારે સ્થાનિક લોકોને ભાજપના કાર્યકર્તાઓ થેલીનું વિતરણ કરીને ફોટા પડાવતા હતા. જો કે તેમાં કોઈ ચીજવસ્તુ ન હતી, જેથી તેમણે આ વીડિયો ઉતાર્યો અને સરકાર દ્વારા ખોટી પ્રસિદ્ધિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગરીબોના સ્વાભિમાન પર વ્રજ્રઘાત-પરેશ ધાનાણી

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતુ કે કોરોનાકાળમાં લોકોની હાલત કફોડી થઇ ગઈ છે.સરકાર સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ, કઠોળ, ખાંડ અને તેલ સસ્તા દરે આપવામાં નિષ્ફળ નીવડી છે અને ગરીબોના સ્વાભિમાન પર કમલછાપ થેલી આપીને ગરીબોના સ્વાભિમાન પર વ્રજ્રઘાત કરવાનું કામ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આને ખોટી પ્રસદ્ધિ ગણાવી હતી.

કોંગ્રેસ માટે મુ્દ્દા નથી તેથી બુદ્ધિનું પ્રદર્શન કરે છે-રાજુ ધ્રુવ

આ અંગે ભાજપના નેતા રાજુ ધ્રુવે કહ્યું હતુ કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, તેથી આવા મુદ્દાઓ પર રાજનિતી કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે. ભાજપ દ્વારા સસ્તા અનાજની દુકાન બહાર થેલીઓ આપવામાં આવી છે. દુકાનની અંદર રાખવામાં આવી નથી એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા પહેલા લોકડાઉનથી અત્યાર સુધી કોરોનાકાળમાં લોકોના પેટનો ખાડો પુરાય તે માટે મફતમાં અનાજ વિતરણ કર્યું છે, ત્યારે કોંગ્રેસ બિનજરૂરી મુદ્દાઓ આધારીત રાજનિતી કરી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો, ગણેશ મહોત્સવમાં 4 ફૂટની પ્રતિમાને મંજૂરી

આ પણ વાંચો : Gujarat હાઇકોર્ટે ધોરણ 10ના ગણિતના માર્ક ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધ્યાને લેવાની અરજી ફગાવી, ધોરણ 12ના પરિણામનો માર્ગ મોકળો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">