સાંસદની સંવેદના-કોરોનામાં અનાથ થયેલા 54 બાળકોને 11-11 હજારની સહાય કરી જન્મદિવસ ઉજવ્યો

તેમણે જણાવ્યુ હતું કે, એક કર્મઠ અને પ્રજાવત્સલ આગેવાન તરીકેની તેમની સમાજસેવાની ભાવનામાંથી પ્રેરણા લઈ કંપની વર્તી રૂ. 5,94,000 (અંકે પાંચ લાખ ચોરાણું હજાર પુરા)નું યોગદાન કોવિંડ-19ના (Corona Pandemic) લીધે અનાથ થયેલા બાળકોને અર્પણ કરતાં અમે કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ.

સાંસદની સંવેદના-કોરોનામાં અનાથ થયેલા 54 બાળકોને 11-11 હજારની સહાય કરી જન્મદિવસ ઉજવ્યો
સાંસદ રામ મોકરીયા (ફાઈલ ઈમેજ)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 06, 2022 | 5:39 PM

દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ આનંદ ઉલ્લાસ સાથે ઉજવતું હોય છે. જો કે, કેટલાક લોકો પોતાનો જન્મદિવસ લોકસેવા સાથે પણ ઉજવતા હોય છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ (Rajya Sabha MP Ram Mokria) પણ પોતાનો જન્મદિવસ કોરોનામાં મૃત્યુ પામેલા માતા પિતાના અનાથ બાળકોને સેવાની સરવાણી કરીને ઉજવ્યો છે. ગુજરાતથી (Gujarat News) રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના પહેલી જૂનના રોજ તેમના જન્મદિવસને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

રામભાઈ નિઃસ્વાર્થભાવે સમાજના ઉત્કર્ષ માટે અવિરતપણે કાર્યરત છે અને તેમના આ સેવાકીય કાર્યોના વારસાને આગળ ધપાવતાં પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમને અનુસરી રામ મોકરિયાએ કોવિડ-19ના લીધે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 54 બાળકોને વ્યક્તિગતપણે રૂ. 11,000 (અંકે અગિયાર હજાર પુરા) લેખે કુલ રૂ. 5,94,000 (અંકે પાંચ લાખ ચોરાણું હજાર પુરા) ની સહાય પૂરી પાડીને તેમણે ઉત્કૃષ્ટ સામાજિક જવાબદારી નિભાવી છે અને જરૂરિયાતમંદોને મદદ કરવા સમાજને એક નવી રાહ ચીંધી છે.

આ અંગે રામ મોકરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનામાં માતા પિતા ગુમાવનાર અનાથ થયેલા બાળકોને 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપતા હોય ત્યારે અમોને પણ આ સેવાકાર્ય માં સહભાગી થવાનો વિચાર કરેલ જેથી મારા જન્મદિવસે અમે અનાથ બાળકોને સહાય પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો. એક કર્મઠ અને પ્રજાવત્સલ આગેવાન તરીકેની તેમની સમાજસેવાની ભાવનામાંથી પ્રેરણા લઈ કંપની વર્તી રૂ. 5,94,000 (અંકે પાંચ લાખ ચોરાણું હજાર પુરા)નું યોગદાન કોવિંડ-19ના લીધે અનાથ થયેલા બાળકોને અર્પણ કરતાં અમે કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કોરોનામાં પણ રામ મોકરિયાની સંવેદના જોવા મળી હતી

રામ મોકરિયા એક રાજકીય વ્યક્તિની સાથે સાથે તેઓ એક વેપારી પણ છે ત્યારે તેઓની કંપની દ્વારા ‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને કંપનીના મુદ્રાલેખ તરીકે સ્થાપિત કરતા વિવિધ સેવાકાર્યોમાં અગ્રીમ ભૂમિકા ભજવતી રહી છે. ગત વર્ષે કોવિડ મહામારીના કપરા સમયમાં સમગ્ર દેશ વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો ત્યારે રામ મોકરિયાની કંપની દ્વારા પીએમ કેર્સ ફંડમાં રૂ, 1,08,00,000 (રૂપિયા એક કરોડ આઠ લાખ) અર્પણ કર્યા હતા. આ ઉપરાંત કંપની દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ રૂ. 10,80,000 (રૂપિયા દસ લાખ એંસી હજાર) પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

કર્મનિષ્ઠ રામભાઈના નેતૃત્વ હેઠળ કંપની દ્વારા હાથ ધરાયેલા સામાજિક કામોથી પ્રેરણા લઈને કંપનીના કર્મયોગીઓએ પણ રાષ્ટ્રસેવામાં યોગદાન આપતાં દરેક સ્ટાફના એક દિવસના પગારની કુલ રૂ. 8,10,000 (રૂપિયા આઠ લાખ દસ હજાર)ની રકમ પીએમ કેર્સ ફંડમાં જમા કરાવી હતી. આમ રામ મોકરિયા અને તેની કંપની દ્વારા કુલ રૂ. 1,26,90,000 (રૂપિયા એક કરોડ છવ્વીસ લાખ નેવું હજાર) દેશની સેવા માટે અર્પણ કરેલા છે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">