Rajkot ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વની જાહેરાત, 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો
આ સભામાં કેબિનેટ પ્રધાન અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ ટકોર કરી કે, દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. જો કોઇ દૂધ ઉત્પાદક ભેળસેળ કરતા હશે, તો તેની સામે આકરા પગલા લેવાશે.
Rajkot ડેરીએ પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરી પશુપાલકોને પ્રતિકિલો ફેટના 680 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરાઇ છે. આજે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં આ જાહેરાત કરવામાં આવી. આ ઉપરાંત આ વર્ષે પણ દૂધ ઉત્પાદકો માટે 10 લાખનો અકસ્માત વીમો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. દૂધમાં ભેળસેળ અને અનિયમિત 39 મંડળીઓની નોંધણી રદ કરવામાં આવી છે.
આ સભામાં કેબિનેટ પ્રધાન અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ ટકોર કરી કે, દૂધમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. જો કોઇ દૂધ ઉત્પાદક ભેળસેળ કરતા હશે, તો તેની સામે આકરા પગલા લેવાશે. આ ઉપરાંત ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ કહ્યું કે, ભેળસેળ કરનાર 90 મંડળીઓ સામે પગલા લેવામાં આવ્યા છે.