Rajkot: ચેતેશ્વર પૂજારાના ગુરુ અને ગોંડલ રામજી મંદિરના સંત હરિચરણદાસ બાપુ 100 વર્ષની વયે બ્રહ્મલીન થયા

ગોંડલ આશ્રમ ખાતે આજે સાંજ સુધી અંતિમદર્શન કરી શકાશે. ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને નર્મદાના કિનારે ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આવતીકાલે સવારે તેમની અંતિમવિધિ કરાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:13 PM

ગોંડલ (Gondal) ના સંત 1008 મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ (Mahamandleshwar Haricharandasji Maharaj) આજે બ્રહ્મલીન થયા છે. આ સમાચાર મળતાં જ હજારો ભક્તો અંતિમ દર્શન માટે ગોંડલ પહોંચી રહ્યા છે. હાલ ક્રિકેટર ચેતેશ્વર પૂજરા (Cheteshwar Pujara) પોતાના પરિવાર સાથે તેમના ગુરુદેવના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા. ગોંડલ આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે હરિચરણદાસજી મહારાજના પાર્થિવ દેહને પટાંગણમાં લાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આશ્રમ ખાતે અંતિમ દર્શન કર્યાં હતાં અને શ્રી રામ જય રામ જય જય રામની ધૂન શરૂ કરી હતી. આવતીકાલે સવારે ગોરા આશ્રમ ખાતે તેમની અંતિમવિધિ (Funeral) કરાશે.

ગોંડલ આશ્રમ ખાતે આજે સાંજ સુધી અંતિમદર્શન કરી શકાશે. ત્યાર બાદ તેમના પાર્થિવ દેહને નર્મદાના કિનારે ગોરા આશ્રમ ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આવતીકાલે સવારે તેમની અંતિમવિધિ કરાશે. પાર્થિવ દેહના દર્શન માટે ચેતેશ્વર પુજારા ઉપરાંત રમેશભાઇ ઓઝા અને ગોંડલના મહારાજા હિમાંશુસિંહ જાડેજા પણ દર્શન માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો અવીરત આવી રહ્યા છે.

ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા, જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી હતી.

આ પણ વાંચોઃ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પરીક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી, બોર્ડ દ્વારા કરવામાં આવતા મોનિટરીંગની વિગતો પણ મેળવી

આ પણ વાંચોઃ Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">