RAJKOT : ધોરાજી પંથકમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ, ખેડૂતોમાં પિયતને લઇને મુંજવણ

RAJKOT : ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆતમાં ચેકડેમ અને નદી નાળાઓમાં પાણી ખાલીખમ થઈ ગયા છે. ચેકડેમ અને નદીના પાણી આધારિત ઉનાળુ પાકને પિયત આપતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

RAJKOT : ધોરાજી પંથકમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ, ખેડૂતોમાં પિયતને લઇને મુંજવણ
ફાઇલ ફોટો
Follow Us:
| Updated on: Mar 21, 2021 | 3:27 PM

RAJKOT : ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆતમાં ચેકડેમ અને નદી નાળાઓમાં પાણી ખાલીખમ થઈ ગયા છે. ચેકડેમ અને નદીના પાણી આધારિત ઉનાળુ પાકને પિયત આપતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોનું કહેવું છેકે સરકાર દ્વારા જળસંચય અભિયાનની જે જાહેરાતો કરવામાં આવે છે જે પોકળ સાબિત થઈ રહી છે. અને, ઉનાળાના પ્રારંભે ધોરાજીના ચેકડેમ તળિયા ઝાટક થઈ ગયા છે.

ધોરાજી પંથકના અન્ન દાતા પર જાણે કુદરત રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે. આમ ધોરાજી પંથકના ખેડૂતોએ પહેલા માનવસર્જિત આફત જેવી કે લોકડાઉન અને બાદમાં ચોમાસું પાક પર અતિવૃષ્ટિ અને બાદમાં માવઠું સહિ ની આકાશી આફતોનું સામનો કરી ચૂકેલા ખેડૂતો હવે ઉનાળુ પાક માટે પિયતના પાણીને લઈ અને ચિંતિત બન્યા છે. ધોરાજીના તમામ ચેકડેમો ખાલીખમ થઈ ચૂક્યા છે.અને, ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

આમ તો સરકાર જળસંચય અભિયાન અંતર્ગત ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે. અને જળ સંચય અભિયાન માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આ અભિયાનનું ધોરાજીમાં સપનું રોળાઈ રહ્યું છે. ધોરાજી અને આસપાસના વિસ્તારના તમામ ચેક ડેમો ખાલી ખમ થઈ ગયા છે. અને ખેડૂતોને ઉનાળુ પાકના પિયત માટે ચિંતામાં વધારો થયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આમ તો ધોરાજી પંથકના ખેડૂતો ઉનાળુ પાકમાં મગફળી, અડદ, જુવાર અને મકાઈ સહિત પશુ માટે ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરે છે. પરંતુ આ વર્ષે તમામ ચેકડેમ ખાલીખમ હોવાને કારણે અંદાજિત 200 હેકટરમાં ઉનાળુ વાવેતર કરતા પહેલા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના જળાશયોમાં હાલ પુષ્કળ પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે. ધોરાજીના ભાદર-૨ અને ધોરાજીના ફોફર ડેમમા પણ પાણીનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો છે. જેથી બંને જળાશયોમાંથી કેનાલ મારફતે અથવા કોઈ પણ પ્રકારની સિંચાઇ યોજના આધારે ખાલી પડેલ ચેકડેમ પાણીથી ભરી આપવામાં આવે તો ખેડૂતોને ઉનાળુ પાકના પિયતનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે.

ગત વર્ષે સારા વરસાદને કારણે ધોરાજી પંથકના જળાશયો અનેકવાર ઓવરફલો થયા હતા. અને, હજુ પણ ધોરાજી ના ભાદર-૨ અને ફોફર ડેમમાં હાલ પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો છે.  જેનાથી ચેકડેમ ભરવામાં આવે તો ખેડૂતોના ઉનાળુ પિયતનો પ્રશ્ન હલ થઇ શકે એમ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">