Rajkot : રાજવી પરિવારમાં વારસાઇ મિલકતનો વિવાદ, રાજવી પરિવારની મિલકત જાણીને તમે ચોંકી જશો

રાજવી પરિવાર પાસે હીરા ઝવેરાત, અનેક જમીનો, 10 વિન્ટેજ કાર, ચાંદીની બગીઓ, એન્ટિક હથિયાર અને ફર્નિચર, જુના આભૂષણો-ઝવેરાત, અનેક મંદિર અને ટ્રસ્ટ છે. જેની કિંમતો પણ કરોડોમાં થવા જાય છે.

Rajkot : રાજવી પરિવારમાં વારસાઇ મિલકતનો વિવાદ, રાજવી પરિવારની મિલકત જાણીને તમે ચોંકી જશો
Rajkot: Royal family inheritance dispute, you will be shocked to know the royal family property
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 11:35 AM

રાજકોટના રાજવી પરિવારમાં હાલ વારસાઇ મિલકતને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સૌ-કોઇને રાજવી પરિવાર પાસે કેટલી મિલકત છે તે જાણવાની ઉત્સુક્તા હોય છે. તમને આ રાજપરિવારની મિલકત જાણીને આશ્ચર્ય થશે. આ પરિવાર પાસે છે 20 હજાર કરોડની મિલકત છે. જેમાં માત્ર પેલેસની જ કિંમત 500 કરોડ રૂપિયા આસપાસ છે. આ સિવાય આ પરિવાર પાસે કેટલોક કિંમતી ખજાનો પણ છે જેની કિંમત અહીં આંકવામાં આવી નથી.

રાજવી પરિવાર પાસે કેટલી મિલકતો ?

નોંધનીય છેકે રાજવી મનોહરસિંહજીના અવસાન બાદ રાજકોટ સ્ટેટમાં મિલકત વિવાદ સપાટી પર આવ્યો છે. આ પરિવાર પાસે 400 કરોડ રૂપિયાની જિનિંગ ફેક્ટરી છે આ ઉપરાંત હીરા-ઝવેરાતના આભૂષણો, હથિયારો, વિન્ટેજ કાર, એન્ટિક તેમજ શિકારની ટ્રોફીની કિંમતો જાણી શકાઇ નથી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

રાજકોટના રાજવી પરિવારમાં મિલકતનો વિવાદ ચરમસીમા પર છે. આ ઉપરાંત કોર્ટમાં સ્વ.મનોહરસિંહજીના વારસાઇ હકનો દાવો મંડાયો છે. જેમાં માધાપરની 575 એકર જમીન છે. જ્યારે સરધારમાં દરબારગઢ અને બગીચો છે. આ બંનેની જ કિંમત 1500 કરોડ રૂપિયાથી વધુની આંકવામાં આવી રહી છે. જોકે, રાજવી પરિવારની મિલકતોમાં આ બંને હિસ્સા ખુબ જ નાના છે.

માત્ર મહેલની કિંમત જ આશરે 500 કરોડ રૂપિયા

આ ઉપરાંત, પેલેસ રોડ મહેલ, તેમજ રાંદરડા તળાવ પર આઉટ હાઉસ તેમજ જમીન, કરોડો રૂપિયાના દેના બેંક હાઉસનો પણ સમાવેશ થાય છે. પેલેસ રોડ મહેલ અને તેની જમીનની જ કિંમત 500 કરોડથી વધુની આંકવામાં આવી રહી છે.

આ મહેલમાં રાખવામાં આવેલી એન્ટિક વસ્તુઓ તેમજ ઈતિહાસમાં રાજાઓએ કરેલા શિકારની ટ્રોફી જેવી કે વાઘ, સિંહ, રીંછ સહિતના પ્રાણીઓના ચામડા કે જેનું મૂલ્ય હજુ સુધી આંકી શકાયું નથી. એક અંદાજ મુજબ રાજપરિવાર પાસે 20,000 કરોડ રૂપિયાથી વધુની મિલકત છે તેમ રાજવી પરિવારના રણશૂરવીરસિંહ જાડેજાએ માહિતી આપી હતી.

રાજવી પરિવારની મિલકત અને અંદાજિત કિંમત

રણજિત વિલાસ પેલેસ- અંદાજિત કિંમત 500 કરોડ રૂપિયા શ્રી લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી- અંદાજિત કિંમત 400 કરોડ રૂપિયા રાજશ્રૃંગી બિલ્ડિંગ પેલેસ રોડ- 60 કરોડ રૂપિયા જૂનો દરબારગઢ – આશરે 110 કરોડ રૂપિયા રાંદરડા લેક ફાર્મ- 240 કરોડ રૂપિયા માધાપર વીડી જમીન- 3000 કરોડ રૂપિયા

આ સિવાય પણ રાજવી પરિવાર પાસે હીરા ઝવેરાત, અનેક જમીનો, 10 વિન્ટેજ કાર, ચાંદીની બગીઓ, એન્ટિક હથિયાર અને ફર્નિચર, જુના આભૂષણો-ઝવેરાત, અનેક મંદિર અને ટ્રસ્ટ છે. જેની કિંમતો પણ કરોડોમાં થવા જાય છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">