Rajkot માં નંબર પ્લેટ વગરના વાહનો પર કાર્યવાહી કરવા પોલીસ કમિશનરનો આદેશ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે ટ્રાફિક પોલીસ દ્રારા આ અંગે ડ્રાઇવ ચલાવવામાં આવશે અને જે લોકોએ પોતાના વાહનમાં નંબર પ્લેટ ન લગાવી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે

Rajkot માં નંબર પ્લેટ વગરના વાહનો પર કાર્યવાહી કરવા પોલીસ કમિશનરનો આદેશ
Vehicle Without Number Plate ( File Photo)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 09, 2021 | 9:07 PM

રાજકોટ( Rajkot)માં નંબર પ્લેટ વગરના વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આદેશ કર્યો છે.પત્રકારો સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે શહેરમાં નંબર પ્લેટ(Number plate)વગરના અનેક વાહનો ફરી રહ્યા છે જે ટ્રાફિકના નિયમ પ્રમાણે અયોગ્ય છે.કેટલીક વખત ગુનાહિત કૃત્ય માટે નંબર વગરના વાહનોનો ઉપયોગ થાય છે ત્યારે તેની ઓળખ મેળવવી મુશ્કેલ હોય છે,આથી શહેરના તમામ વાહનોમાં નંબર પ્લેટ ફરજીયાત રીતે લગાવવા પોલીસ કમિશનરે તાકીદ કરી છે.

ખાસ ડ્રાઇવ ચલાવી વાહનો ડીટેઇન કરાશે

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે ટ્રાફિક પોલીસ દ્રારા આ અંગે ડ્રાઇવ ચલાવવામાં આવશે અને જે લોકોએ પોતાના વાહનમાં નંબર પ્લેટ ન લગાવી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.જરૂર પડીએ આવા વાહનચાલકોના વાહન ડિટેઇન કરીને તેને મોટો દંડ આપવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઇ મેમોથી બચવા લોકો નથી રાખતા નંબરપ્લેટ

રાજકોટમાં આઇ વે પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ઇ મેમોના માધ્યમથી દંડ ફટકારવામાં આવે છે જેથી ઇ મેમોથી બચવા માટે કેટલાક લોકો દ્રારા પોતાના વાહનોમાં નંબર પ્લેટ રાખતા નથી.આ ઉપરાંત શહેરમાં રોમિયોગીરી કરતા કેટલાક આવારાતત્વો દ્રારા પણ નંબરપ્લેટના બદલે ડિઝાઇન અથવા કોઇ શબ્દો લખવામાં આવે છે..

સોની વેપારીને ફરાર થનારના વાહનમાં નહોતી નંબરપ્લેટ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે ગુરૂવારે શહેરના કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે સોની વેપારી સાથે થયેલી 25 લાખ રૂપિયાની છેતરપિંડીમાં જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં નંબર પ્લેટ ન હતી જેના કારણે તેની ઓળખ કરવી થો઼ડી મુશ્કેલ પ઼ડી હતી.ગેરકાયદેસર કામ કરનાર શખ્સો નંબર પ્લેટ વગરના વાહનનો લાભ ન લે તે હેતુથી પોલીસ આ નિયમને કડક બનાવવા જઇ રહી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">