Rajkot: અમુલ ઘી અને સનફ્લાવર ઓઇલમાં ભેળસેળનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પર્દાફાશ કર્યો, 395 ડબ્બામાં ભેળસેળ સામે આવી

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની સોનિયા ટ્રેડિંગ પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા, દરોડા દરમિયાન અમુલ ઘીના 20 ડબ્બા અને સનફ્લાવર ઓઇલના 395 ડબ્બામાં ભેળસેળ સામે આવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 9:24 PM

Rajkot: રાજકોટમાં અમુલના ઘી અને સનફ્લાવર ઓઇલમાં ભેળસેળનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) પર્દાફાશ કર્યો છે. અધિકારીઓને મળેલી બાતમીના આધારે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની સોનિયા ટ્રેડિંગ પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અમુલ ઘીના 20 ડબ્બા અને સનફ્લાવર ઓઇલના 395 ડબ્બામાં ભેળસેળ સામે આવી હતી. હાલ આરોગ્ય વિભાગે તમામ મુદ્દામાલ સિઝ કરીને નમૂના તપાસ અર્થે મોકલ્યા છે.

 

રાજકોટ આરોગ્ય વિભાગે અમૂલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને તપાસ કરી હતી જેમાં અમુલ ઘીના ડબ્બા પર ભાવનગર ડેરીનો બેચ જોવા મળ્યો હતો જ્યારે મેન્યુફેક્ચર બાય સાબરકાંઠા લખેલુ હતુ. સાથે જ અમુલનું પેકિંગ અને બિલિંગ પેટન્ટ પણ અલગ જોવા મળી હતી જોકે સોનિયા ટ્રેડિંગ પેઢીના સંચાલકોએ પોતાના પર લાગેલા આરોપો ફગાવ્યા હતા.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ પ્રકારના ભેળસેળયુક્ત પદાર્થનો ઉપયોગ કરવો આરોગ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે અને પેટ સહિત અન્ય બિમારીઓનું જોખમ તોળાય છે. હાલ આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે તમામ મુદ્દામાલ સિઝ કર્યો છે સાથે જ બંને પ્રોડક્ટના નમૂના બેલ તપાસ માટે મોકલાયા છે. જો આ નમૂના તપાસમાં ફેઇલ ગયા તો વેપારી સામે કાર્યવાહી થઇ શકે છે. આવા ગુના બદલ કાયદાકીય સજા સાથે 5 લાખના દંડની જોગવાઇ છે.

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">