Rajkot: વેન્ટિલેટર અને બાઇપેપની તંગી વચ્ચે નવા નુસખા અપનાવતા ડોકટરો
રાજકોટમાં(Rajkot) સતત કોરોનાનું સંક્ર્મણ વધતું જાય છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 62 લોકોના મોત કોરોનાના કારણે નિપજ્યા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા હોસ્પિટલમાં બેડ નથી મળતા તો ઓક્સિજનની પણ અછત સર્જાય છે. આ વચ્ચે રાજકોટના તબીબે નવો નુસખો અજમાવ્યો છે.
રાજકોટમાં(Rajkot) સતત કોરોનાનું સંક્ર્મણ વધતું જાય છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 62 લોકોના મોત કોરોનાના કારણે નિપજ્યા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા હોસ્પિટલમાં બેડ નથી મળતા તો ઓક્સિજનની પણ અછત સર્જાય છે. આ વચ્ચે રાજકોટના તબીબે નવો નુસખો અજમાવ્યો છે.
વેન્ટિલેટર અને બાઇપેપની તંગી વચ્ચે નવા નુસખા રાજકોટના તબીબ અપનાવે છે. તબીબના નુસખાથી વેન્ટિલેટર અને બાઇપેપ વગર પૂરતો ઓક્સિજન દર્દીને મળે છે. ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવતા બેનઝ સર્કિટનો ઉપયોગ કરી દર્દી પૂરતો ઓક્સિજન મળી રહે છે. આ નુસખો ડો.સંદીપ હરસોડાએ કર્યો છે. આ નવો નુસખો સફળ થયો છે.
વેન્ટિલેટરની તંગી વચ્ચે બેનઝ સર્કિટનો ઉપયોગ કરી 12 જેટલા દર્દીઓ મેળવી રહ્યા છેઓક્સિજન. વેન્ટિલેટરની તંગી વચ્ચે આશીર્વાદ રૂપ બની બેનઝ સર્કિટ બની છે. ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવતી બેનઝ સર્કિટ હોવી ICU વોર્ડમાં પણ કરવામાં આવો રહ્યો છે ઉપયોગ. આ સાથે જ આ નુસખાથી 3 જેટલા દર્દી સ્વસ્થ થયા છે.