રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ, ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે સામાજિક અંતરનો જોવાયો અભાવ
રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો છે. ખેડૂતો અને ટેકાના ભાવે મગફળી ખરીદીના અધિકારીઓ વચ્ચે સામાજિક અંતરનો અભાવ જોવાયો છે. જોકે, અહીં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને હાલાકી થઇ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ગ્રેડ બાબતે ખેડૂતોની મગફળીને રિજેક્ટ કરવામાં આવી રહી છે.ત્રણ દિવસ સુધી મગફળીની સફાઈ કરાવ્યા બાદ […]
રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો છે. ખેડૂતો અને ટેકાના ભાવે મગફળી ખરીદીના અધિકારીઓ વચ્ચે સામાજિક અંતરનો અભાવ જોવાયો છે. જોકે, અહીં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને હાલાકી થઇ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ગ્રેડ બાબતે ખેડૂતોની મગફળીને રિજેક્ટ કરવામાં આવી રહી છે.ત્રણ દિવસ સુધી મગફળીની સફાઈ કરાવ્યા બાદ પણ ગ્રેડ બાબતે મગફળી રિજેક્ટ થઇ રહી છે.હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કુલ 46 હજાર ગુણીની ટેકાના ભાવે ખરીદી કરાઇ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો