સુરત અગ્નિકાંડ બાદ રાજકોટ DEOએ 160થી વધુ ખાનગી શાળાઓમાં કરી તપાસ, વેકેશન પૂર્ણ થતા પહેલા ફાયર NOC લઈ લેવા સૂચના
સુરત અગ્નિકાંડની ઘટનાને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા શહેર અને જિલ્લાની 160થી વધુ ખાનગી શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેઓએ શાળામાં ફાયર સેફ્ટીના સાધનો, ગેરકાયદેસર બાંધકામ સહિતના મુદ્દે તપાસ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં 8 જેટલી શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે મનપા કમિશનરને ભલામણ કરવામાં આવી છે. શાળામાં રહેલુ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો […]
સુરત અગ્નિકાંડની ઘટનાને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા શહેર અને જિલ્લાની 160થી વધુ ખાનગી શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેઓએ શાળામાં ફાયર સેફ્ટીના સાધનો, ગેરકાયદેસર બાંધકામ સહિતના મુદ્દે તપાસ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની તપાસમાં 8 જેટલી શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે મનપા કમિશનરને ભલામણ કરવામાં આવી છે.
શાળામાં રહેલુ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્રારા તમામ શાળાઓને વેકેશન પૂર્ણ થતા પહેલા ફાયર NOC લઈ લેવા તાકીદ કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો