Rajkot Corona Update: રાજકોટમાં કોરોના સામે આખરે આવી જાગૃતિ, ટેસ્ટિંગ બુથ પર ભીડનાં દ્રશ્યો

Rajkot Corona: ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કોરોનાની બીજી લ્હેરમાં 2190 કેસ અત્યાર સુધી કયારે પણ નોંધાયા ના હતા.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 27, 2021 | 1:11 PM

Rajkot Corona Update : ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. કોરોનાની બીજી લ્હેરમાં 2190 કેસ અત્યાર સુધી કયારે પણ નોંધાયા ના હતા. ગુજરાતમાં વીતેલા 24 કલાકમાં આટલા કેસ ચિંતાનો વિષય બન્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં પણ વધારો થયો છે.

 

રાજકોટમાં કોરોનાનું સંક્ર્મણ વધતા લોકોની ટેસ્ટિંગ બુથ પર ભારે ભીડ જોવા મળી છે. રાજકોટના રૈયા ચોક પર આવેલા ટેસ્ટીંગ બુથમાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટીંગ કરાવવા પહોંચ્યા હતા. સવારે 10-30 વાગ્યા સુધીમાં 58 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 3 લોકોને પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટમાં 164 નોંધાયા છે. તો જામનગરમાં 47 કેસ નોંધાયા છે. અમરેલીમાં 20 કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે તો મોરબીમાં કોરોનાના 19 કેસ નોંધાયા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા સૌરાષ્ટ્રમાં વધુ 2.20 લાખ વેક્સીનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. કોરોના સામેની મહામારીમાં રસીકરણ ઝુંબેશ ઝડપી બનાવવા સરકારએ આદેશ આપ્યો છે. જેમાં રાજકોટને 42 હજાર ડોઝ , જામનગરને 18 હજાર, પોરબંદરને 6 હજાર, મોરબીને 26 હજાર ડોઝ અને દ્વારકાને 20 હજાર ડોઝ રસી ફાળવવામાં આવ્યા છે.

15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 25 માર્ચના રોજ એક મહિના બાદ વધીને 1961 એ પહોંચ્યા છે. આમ એક મહિનામાં કોરોનાના કેસમાં 1721 કેસનો ઉછાળો થયો છે. એટલે કે એક મહિનામાં કોરોનાના ચાર ગણા કેસ વધ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં રાજ્યના COVID-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આજે તમામ જિલ્લા કલેક્ટરોની બેઠક મળી હતી. અને બૈઠક બાદ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂની ઘોષણા કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarat Corona: સૌરાષ્ટ્રમાં કોરોનાનો સપાટો, એક જ દિવસમાં 329 કેસ અને 9નાં મોતથી આરોગ્ય વિભાગમાં સન્નાટો

 

 

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">