Rajkot: ગુજરાતમાં કોરોનાના સૌપ્રથમ કેસને એક વર્ષ પૂર્ણ, રાજકોટના ગામડા આજે પણ સુરક્ષિત

રાજકોટમાં (Rajkot) 19 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. રાજકોટના (Rajkot) જંગલેશ્વર વિસ્તારમાં નદીમ યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વચ્ચે રાજકોટ જિલ્લાના હજુ પણ કેટલાક ગામડાઓ સુરક્ષિત છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 19, 2021 | 11:31 AM

ફરી એક વાર ગુજરાતમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. કહી શકાય કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઈ છે. છેલ્લા 2થી 3 દિવસથી કોરોનાના કેસ 1 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. રાજકોટમાં (Rajkot) 19 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. રાજકોટના (Rajkot) જંગલેશ્વર વિસ્તારમાં નદીમ નામના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નદીમે 17 દિવસની સઘન સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નદીમે 2 એપ્રિલના રોજ કોરોનાને મ્હાત આપી હતી. રાજકોટમાં (Rajkot) કોરોનાના કારણે પ્રથમ મોત 29 એપ્રિલના રોજ થયું હતું.

નોંધનીય છે કે, રાજકોટમાં એક વર્ષ દરમિયાન 17 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. તો 16 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજકોટમાં અટાયર સુધીમાં 6 લાખથી વધુ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રાજકોટમાં સત્તાવાર રીતે 150 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. નોંધનીય છે કે રાજકોટમાં 14 દિવસની બાળકીથી લઈને 84 વર્ષના વૃદ્ધોએ કોરોના સામે જીત મેળવી છે.

એક બાજુ રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 2,81,176 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જે પૈકી 2,72,332 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જયારે 4433 લોકો કોરોના સામેની લડાઈ હારી ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 24,13,350 લોકોએ કોરોના રસીના પહેલો ડોઝ અને 5,67,671 લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લઇ લીધો છે. રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીકરણની આડ-અસર જોવા મળી નથી. રાજ્યનો રિકવરી રેટ 96.42 ટકા છે.

ગુજરાતના ઘણા ગામડાઓ સુધી કોરોના પહોંચી ગયો છે. તો આ વચ્ચે રાજકોટ જિલ્લાના હજુ પણ કેટલાક ગામડાઓ સુરક્ષિત છે. રાજકોટ જિલ્લાના 112 ગામડાઓમાં હજુ સુધી કોરોનાએ પ્રવેશ કર્યો નથી. રાજકોટના 112 ગામડાઓમાં હજુ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. ગામડાના લોકો શહેરના લોકો કરતા વધુ સુરક્ષિત છે. આ 112 ગામડામાં ચૂંટણી દરમિયાન પણ એક પણ સભા કરવામાં આવી નથી. તો બીજી બાજુ આ ગામડાઓમાં સિનિયર સીટીઝન કોરોનાની રસી લઇ રહ્યા છે.

આ પરથી કહી શકાય કે, રાજકોટ જિલ્લાના 112 ગામડા કોરોના મામલે અન્ય ગામડાઓ માટે ઉદાહરણ રૂપ બન્યા છે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">