ચીનથી આયાત ઘટશે તો સૌરાષ્ટ્રના ઉધોગોને ફાયદો થશે, શાપર ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખનું નિવેદન
રાજકોટના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ પણ માને છે કે જો ચાઇનાથી આયાત ઘટશે તો સૌરાષ્ટ્રના ઉધોગોને ફાયદો થશે. ચીનથી આવતા માલને લઇને તેમણે કહ્યું કે દેશમાં જ જો તમામ વસ્તુઓ બને અને લેવામાં આવે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટો ફાયદો થશે. ખાસ કરીને કિચનવેર ફર્નિચર ઉધોગને ફાયદો થશે. ચીનથી આવતા પ્લાસ્ટીકના દાણા, ઓટોમોબાઇલ ક્ષેત્રે આવતું […]
રાજકોટના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ પણ માને છે કે જો ચાઇનાથી આયાત ઘટશે તો સૌરાષ્ટ્રના ઉધોગોને ફાયદો થશે. ચીનથી આવતા માલને લઇને તેમણે કહ્યું કે દેશમાં જ જો તમામ વસ્તુઓ બને અને લેવામાં આવે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટો ફાયદો થશે. ખાસ કરીને કિચનવેર ફર્નિચર ઉધોગને ફાયદો થશે. ચીનથી આવતા પ્લાસ્ટીકના દાણા, ઓટોમોબાઇલ ક્ષેત્રે આવતું લિક્વીડ, ઇમિટેશન જવેલરીની કેટલીક ચીજવસ્તુઓ પણ ચીનથી આયાત કરવી પડી છે. આ ઉપરાંત ઇમ્પોર્ટ ડ્યુટીનો લાભ લેવા માટે ગુજરાતના ઉઘોગો ભારતમાં કાચો માલ હોવા છતાં ચીનથી આયાત કરે છે અને તેની ઇન્ટરનેશનલ માર્કેટમાં નિકાસ પણ કરે છે.
આ પણ વાંચો: પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 6 જુલાઈ સુધી રહેશે બંધ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો