VIDEO: રાજકોટ જિલ્લાના 8 ગામના ખેડૂતોને મળશે આજી-2 ડેમનું પાણી, ખેડૂતોને મળશે આંશિક રાહત
સૌરાષ્ટ્રમાં નહિવત વરસાદ થતાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ન જાય તે માટે સરકારે પાણી છોડવા નિર્ણય કર્યો છે. આજી- 2 ડેમમાંથી 70 MCFT પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોમાં ખેતી માટે છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેતીની સાથે પશુઓને પણ પાણીથી રાહત મળે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો […]
સૌરાષ્ટ્રમાં નહિવત વરસાદ થતાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોનો ચોમાસું પાક નિષ્ફળ ન જાય તે માટે સરકારે પાણી છોડવા નિર્ણય કર્યો છે. આજી- 2 ડેમમાંથી 70 MCFT પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોમાં ખેતી માટે છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેતીની સાથે પશુઓને પણ પાણીથી રાહત મળે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં ચાલુ ટ્રેનના દરવાજા પાસે ઉભેલો મુસાફર પટકાયો ટ્રેક પર અને થયો ચમત્કારિક બચાવ, જુઓ VIDEO
રાજકોટના અડબાલકા, ગઢડા, બાઘી, નારણકા, ખંઢેરી, ઉકરડા, દહીંસરડા અને કોઠારિયાના અંદાજે 2 હજાર એકર વિસ્તારને પાણી મળશે. આ ઉપરાંત ફતેવાડી કેનાલમાં પણ પાણી છોડવા સરકારે નિર્ણય કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો