રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ, અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ હોસ્પિટલ તપાસ માટે પહોંચ્યા
રાજકોટ હોસ્પિટલમાં થયેલા ગોઝારા અગ્નિકાંડ મામલે તપાસ હવે તેજ બની છે. તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે, તેમાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે. ખરેખર આગનો બનાવ કઈ રીતે બન્યો હતો અને કેવી રીતે આ દુર્ઘટના બની તે જાણવા માટે એક ખાસ સમિતીની રચના કરાઈ છે. આ એસઆઈટીની રચના રાજકોટ પોલીસ કમિશ્નરે કરી છે. જે એસઆઈટી બની […]
રાજકોટ હોસ્પિટલમાં થયેલા ગોઝારા અગ્નિકાંડ મામલે તપાસ હવે તેજ બની છે. તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે, તેમાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે. ખરેખર આગનો બનાવ કઈ રીતે બન્યો હતો અને કેવી રીતે આ દુર્ઘટના બની તે જાણવા માટે એક ખાસ સમિતીની રચના કરાઈ છે. આ એસઆઈટીની રચના રાજકોટ પોલીસ કમિશ્નરે કરી છે. જે એસઆઈટી બની છે તેના વડા રાજકોટ પોલીસના ડીસીપી મનોહરસિંહ જાડેજા રહેશે. તેમની અધ્યક્ષતામાં તપાસમાં કમિટી સમગ્ર અગ્નિકાંડની તપાસ કરશે. જે સમગ્ર બનાવ અને દર્દીઓના થયેલા મોત બાબતે તપાસ કરશે. રાજ્ય સરકારે પણ ઉચ્ચ સ્તરીય તપાસ આ કેસમાં શરૂ કરી દીધી છે. જેમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવને તપાસ સોંપાઈ છે. રાજ્ય સરકારના સચિવ કક્ષાના અધિકારીઓ પણ અગ્નિકાંડની તપાસમાં જોડાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટ: 2 મહિનામાં ફાયર સેફ્ટીના અભાવની 58 હોસ્પિટલોને અપાઈ નોટીસ
YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો