રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં કોંગ્રેસ IT Cellના ચેરમેનને કોર્ટમાં બોલાવવાની ફરિયાદી પક્ષે કરી રજૂઆત

Rahul Gandhiએ જબલપુરમાં હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે ટિપ્પણી કરી હતી. આ બાબતમાં રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ નોંધાયો હતો.

રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં કોંગ્રેસ IT Cellના ચેરમેનને કોર્ટમાં બોલાવવાની ફરિયાદી પક્ષે કરી રજૂઆત
માનહાનીનો કેસ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 22, 2021 | 3:58 PM

રાહુલ ગાંધીએ (Rahul Gandhi)  જબલપુરમાં હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે ટિપ્પણી કરી હતી. આ બાબતમાં સોશિયલ મીડિયામાં મુકાયેલા આ નિવેદન અને ટ્વિટમાં ઉલ્લેખને લઈને ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી મેટ્રો કોર્ટમાં ચાલી રહી છે. મેટ્રો કોર્ટમાં ચાલી રહેલી આ સુનાવણીમાં કુલ 4 સાક્ષીઓના નિવેદનો પૂર્ણ થયા હતા.

જેમાં ફરિયાદી પક્ષે કોંગ્રેસના આઇટી સેલના ચેરમેન રોહન ગુપ્તાને કોર્ટમાં નિવેદન માટે બોલાવવાની માગ કરી છે. ત્યારે રાહુલ ગાંધી તરફથી વકીલ દ્વારા આ મામલે વાંધો ઉઠાવીને રજૂઆત કરાઈ હત . મેટ્રો કોર્ટે આ મામલે 28 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણીનો આદેશ કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">