Porbandar: વિશ્વસ્તરે મળતી માછીમારોને સબસીડી બંધ કરવા હિલચાલ, સબસીડી બંધ કરવા સામે માછીમારોનો વિરોધ

વિશ્વસ્તરે માછીમારોને મળતી સબસીડી બંધ કરવાની હિલચાલ સામે ભારત સરકારે વિરોધ કર્યો છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે WTO દ્વારા વિશ્વસ્તરે માછીમારોને સબસીડી આપવામાં આવે છે.

Porbandar: વિશ્વસ્તરે મળતી માછીમારોને સબસીડી બંધ કરવા હિલચાલ, સબસીડી બંધ કરવા સામે માછીમારોનો વિરોધ
Porbandar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 6:09 PM

વિશ્વસ્તરે માછીમારોને (Fishermen) મળતી સબસીડી બંધ કરવાની હિલચાલ સામે ભારત સરકારે વિરોધ કર્યો છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે WTO (World Trade Organization) દ્વારા વિશ્વસ્તરે માછીમારોને સબસીડી આપવામાં આવે છે. તાજેતરમાં જીનિવામાં મળેલી બેઠકમાં માછીમારોને મળતી સબસીડી બંધ કરવાની હિલચાલ થતા ભારત સરકારે અને ભારતના માછીમારોએ ઉગ્ર રજૂઆત સાથે વિરોધ કર્યો હતો. જો સબસીડી બંધ થાય તો માછીમારોને અનેક યોજનાનો લાભ મળતો બંધ થઈ જાય. તેમજ માછીમારોને બહું મોટો આર્થિક ફટકો પડવાની પણ પુરેપુરી શક્યતાઓ રહેલી છે.

જીનિવામાં મળેલી બેઠકમાં ભારત સરકારે જણાવ્યું હતું કે, ભારતના માછીમારો દેશી પદ્ધતિથી માછીમારી કરે છે. બેઠકમાં ભારત સરકારની દલીલોને ધ્યાન પર લઈ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જોકે આધુનિક પદ્ધતિથી ફિશિંગ કરતા દેશોમાં માછીમારોની સબસીડી બંધ કરવામાં ઠરાવ થયો હતો. ભારત સરકાર દ્વારા માછીમારોનો પક્ષ રાખવા બદલ વડાપ્રધાન મોદી, મત્સ્યોદ્યોગ પ્રધાન પુરષોતમ રૂપાલાનો માછીમારોએ આભાર વ્યક્ત કર્યો છે.

4500 કરોડના ડ્રગ્સનો મામલે આરોપીના જામીન થયા નામંજુર

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પોરબંદર અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા 4500 કરોડ ડ્રગ્સના મુખ્ય આરોપીના જામીન નામંજુર કરવામાં આવ્યા છે. પોરબંદર સમુદ્રમાંથી કોસ્ટગાર્ડ દ્વારા હેનરી બોટ સાથે 4500 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ હતુ. ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીઓ સામે પોરબંદર કોર્ટમાં કેસ ચાલે છે. કેસના મુખ્ય આરોપી વિશાલ જીતેન્દ્ર યાદવે પોરબંદર કોર્ટમાં જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. આજે પોરબંદર કોર્ટે ફરિયાદી પક્ષની દલીલો અને દેશના યુવાધનને બરબાદ કરવા બાબતની દલીલો ધ્યાને રાખી જામીન નામંજૂર કર્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">