Porbandar :73મા વનમહોત્સવનો પ્રારંભ, મંત્રી રાઘવજી પટેલે લમ્પીગ્રસ્ત પશુના મતૃદેહના નિકાલ માટે આપી સૂચના

પશુપાલન મંત્રી રાઘવજી પટેલ તથા ધારાસભ્ય બાબુ બોખીરિયા (Babu bhokhiriya) સહિતના રાજકીય આગેવાનોએ વન મહોત્સવનો પ્રારંભ કરાવી લોકજાગૃતિનો પ્રચાર શરૂ કર્યો હતો અને લોકોને વૃક્ષની જરૂરી માહિતી પૂરી પાડી હતી.

Porbandar :73મા વનમહોત્સવનો પ્રારંભ, મંત્રી રાઘવજી પટેલે લમ્પીગ્રસ્ત પશુના મતૃદેહના નિકાલ માટે આપી સૂચના
Porbandar: Animal Husbandry Minister Raghavji Patel has given instructions
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 11:13 PM

પોરબંદરમાં  (Porbnadar) પશુપાલન મંત્રી રાઘવજી પટેલના (Raghavji patel) હસ્તે 73માં વનમહોત્સવનો પ્રારંભ થયો કાર્યક્રમ દરમિયાન મંત્રીએ વૃક્ષોની જરૂરિયાત વિશે માહિતી આપી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં લમ્પીગ્રસ્ત (Lumpy) પશુઓના નિકાલ બાબતે ચર્ચા કરી હતી. ચોમાસાની સીઝનમાં દર વર્ષે વન વિભાગ દ્રારા શહેરમાં વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણનો કાર્યકમ કરવામાં આવે છે તેમજ જિલ્લા કક્ષાએ વન મહોત્સવનો કાર્યક્રમ કરી લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવે છે.

આજે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ તથા ધારાસભ્ય બાબુ બોખીરિયા (Babu bhokhiriya) સહિતના રાજકીય આગેવાનોએ વન મહોત્સવનો પ્રારંભ કરાવી લોકજાગૃતિનો પ્રચાર શરૂ કર્યો હતો અને લોકોને વૃક્ષની જરૂરી માહિતી પૂરી પાડી હતી.પોરબંદર ખાતે 73 માં વન મહોત્સવ નો પ્રારંભ થયો કેન્દ્રીય વિદ્યાલય ખાતે પ્રારંભ થયો અમારા હાથે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં વધુમાં વધુ વૃક્ષો નો ઉછેર થાય તેવા ઉદેશથી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, અમારા વિભાગ દ્રારા અને મુખ્યમંત્રી દ્રારા ખાસ સૂચના આપેલી છે કે લમ્પીગ્રસ્ત ગાયો માટે આઇસોલેટેડ વોર્ડમાં સારવાર આપવાની સૂચના છે બે પ્રકારના મૃતદેહ છે જેમાં લંપી પશુઓ માટે તેમની અલગ વ્યવસ્થા કરવાની સૂચના છે જિલ્લા કલેકટરના નિરિક્ષણ હેઠળ કામગીરી કરવામાં આવે છે. લંપી ગ્રસ્ત મૃતદેહને ખાડામાં દફનાવી તેમના દવા અને મીઠાનો છંટકાવ કરી ધૂળ પાથરવામાં આવે છે બીજા સામાન્ય મૃતદેહ માટે ઇજારેદારો હાડકા અને ચામડા અલગ કરી વિધિ કરવામાં આવે છે

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ક્યાંક ક્યાંક ઇજારેદારોની કામગીરીમાં વિલંબ થાય છે, પરંતુ તાત્કાલિક કામગીરી કરવા વિભાગો દ્રારા સુચન આપવામાં આવ્યા છે . હાલ તો પોરબંદર શહેરમાં લમ્પી ગ્રસ્ત પશુઓના મૃતદેહ રઝળતા હોવાના વિવાદથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને કામગીરી કરવામાં આવી રહી છે.

વિપક્ષ અને સ્થાનિકો દ્વારા થયો હતો ઉગ્ર વિરોધ

નોંધનીય છે કે પોરબંદરમાં વિપક્ષ અને સ્થાનિકોના વિરોધ બાદ પાલિકા જાગી છે અને લમ્પીગ્ર્સ્ત ગાય  મોતને ભેટી હોય તે ગાયના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે જાવર ગામ નજીકના સમુદ્ર કિનારા પર પાલિકાએ ગાયોના  મૃતદેહ રઝળતા મૂકી દેતા યુથ કોંગ્રેસે આ બાબતનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને પાલિકાની પોલ ખોલી હતી. ત્યારબાદ પાલિકાએ ગાયોના મૃતદેહ માટે અલગ ખાડા કરી તેના નિકાલની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ યુથ કોંગ્રેસે  મૃત ગાયોની અંતિમવિધિ માટે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે પોરબંદર પાલિકા બે ત્રણ દિવસમાં પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તે આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

(વિથ ઇનપુટ્: હિતેશ ઠકરાર, પોરબંદર)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">