Corona Gujarat Update : સાંદિપની આશ્રમ 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક લગાવશે, કામ શરૂ
કોવિડ હોસ્પિટલમાં આધુનિક સિસ્ટમ સાથેની 20,000 લીટરની ઓક્સીજન ટેન્ક લાખો રૂપિયાના ખર્ચે ફિટ કરાવવાનું નકી કર્યું.
સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને ઓક્સીજનની અછત વર્તાય રહી છે. ત્યારે વિશ્વ વિખ્યાત ભાગવતચાર્ય રમેશ ભાઈ ઓઝાએ હાલની ગંભીર સ્થિતિને નજરમાં રાખી ઓક્સીજનના અભાવે લોકોના જીવ બચાવવાના પ્રયાસ શરુ કર્યા અને સફળ થયા. પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં અતિ આધુનિક સિસ્ટમ સાથેની 20,000 લીટરની ઓક્સીજન ટેન્ક લાખો રૂપિયાના ખર્ચે ફિટ કરાવવાનું નકી કર્યું.
તેમના અનુયાયીઓ અને રીલાઇન્સ પરિવારના સહયોગથી દર્દીઓને સેવાનો લાભ આપવા પ્રયાસો કરી રહ્યા છે 200 બેડ સુધી ઓક્સિજન પાઈપલાઈન પહોંચાડવા જરૂરી સાધન જેવા કે યૂમીડી ફાયર, ફલૉ મીટર ,સહિતની તમામ સુવિધાઓ સરકારી હોસ્પિટલમાં કાર્યરત કરવાની કામગીરી શરુ કરી દીઘી છે
કોરોના મહામારીમાં ઓક્સિજનની ખોટ પડી રહી છે ત્યારે સાંદિપની આશ્રમ દ્વારા જિલ્લાના કોઈ દર્દીઓ ઓક્સિજનના અભાવે મુશ્કેલીમાં મુકાય નહી તેના માટે અંદાજે 60 લાખ રૂપિયાથી વધુની કિંમતની ઓક્સિજન ટેન્ક પાઈપલાઈનની કામગીરી કોવીડ હોસ્પિટલ ખાતે શરુ કરી દેવામાં આવી છે જેના માટે રીલાઈન્સ પરિવાર અને અન્ય અનુયાયીઓનો સહયોગ મળ્યો છે
ગત લોકડાઉન દરમિયાન સાંદિપની આશ્રમ દ્વારા શ્રમિકોને કીટ વિતરણ શરુ કરાઈ હતી જો હજુ સરકાર 4 સપ્તાહ કે તેથી વધુનું લોકડાઉન કરે તો હજુ પણ કીટ વિતરણ કરવાની અમારી તૈયારી છે. સાથે જણાવ્યું હતું કે સરકારે સમય હોવા છતાં નિષ્કાળજી રાખી તેનું અત્યારે પુનરાવર્તન થઈ રહ્યું છે અને લોકોના જીવ જઇ રહ્યા છે જેનું દુઃખ છે સરકારે વિપક્ષ અને નેતાઓએ એક જુથ થઈ ખભેથી ખભો મિલાવી મહામારીની સામે લડવાની જરૂર છે સાંદિપની દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે ભૂતકાળની જેમ ભવિષ્યમાં સરકારને કે તંત્રને અમારી જરૂર હશે ત્યારે ખડેપગે રહેવાની તૈયારી દર્શાવી છે. શાહી સ્નાનની જરૂરત જ ન હતી. આર્થિક મુશ્કેલી ના સર્જાય અને શ્રમિકો દુઃખી ના થાય તેની તકેદારી જરૂરી ગણાવી લોકડાઉન થાય તો શ્રમિકોની ચિંતા કરવા અપીલ કરી .સામાજિક સંસ્થાઓ અને યુવાનોને મદદે આવવા કરી અપીલ
રમેશ ઓઝાએ આજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારીમાં 5 મહિના જેવો સમય મળ્યો હતો પણ તંત્ર વ્યવસ્થા ન કરી શકી તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું નેતાઓએ રાજકીય કાર્યક્રમો જો બંધ રાખ્યા હોત તો આજે પોઝિટિવ અને મૃત્યુ આંક ઘટાડી શકાયા હોત