PORBANDAR : વેક્સિન સર્ટિફિકેટને લઇને ઘોર બેદરકારી, એક ડોઝ લીધા બાદ કેટલાક લોકોને બંને ડોઝના સર્ટિફિકેટ અપાયા

સામાજીક કાર્યકર દિનેશ થાનકીએ કોરોના વેક્સિન ડોઝ મામલે ગડબડ છે તેમજ એક જ ડોઝ લેનારને બંને ડોઝના સર્ટીફીકેટ કેવી રીતે મળે તેમ જણાવી સમગ્ર મામલે ઉગ્ર તપાસ કરવાની માંગ કરી છે.

PORBANDAR : વેક્સિન સર્ટિફિકેટને લઇને ઘોર બેદરકારી, એક ડોઝ લીધા બાદ કેટલાક લોકોને બંને ડોઝના સર્ટિફિકેટ અપાયા
વેક્સિન સર્ટિફિકેટ (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 5:00 PM

પોરબંદરમાં (PORBANDAR)કેટલાક લોકોને કોરોના (CORONA) વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના થોડા દિવસમાં જ બંને ડોઝના સર્ટિફિકેટ (Vaccine Certificate) મળી જતા લોકોમાં ભારે અસમંજસતા અનુભવાઇ રહી છે. કેટલાક આગેવાનોએ વેક્સિનમાં કૌભાંડ હોવાની વાત કરી તો બીજી તરફ અધિકારીઓએ ટેક્નિકલ ખામી હોવાનું રટણ કર્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર કોરોના નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી રહી છે. તેમજ વેક્સિનના બંને ડોઝ લેવાની અપીલ કરી રહી છે. ત્યારે લોકો પણ વેક્સિન ડોઝ લેવા દોડી રહ્યાં છે. પરંતુ એવા અનેક લોકો જેમણે કોરોના રસીનો એક જ ડોઝ લીધો હોય તેમને ડોઝ લીધાના થોડા જ દિવસોની અંદર બંને ડોઝના સર્ટિફીકેટ મળી રહ્યા છે. જ્યારે આ અંગે અધિકારીઓને પૂછવામાં આવતા તેમણે સિસ્ટમમાં કંઈક ખામી સર્જાઇ તેવું જણાવ્યું છે. હાલ સમગ્ર શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે.

સામાજીક કાર્યકર દિનેશ થાનકીએ કોરોના વેક્સિન ડોઝ મામલે ગડબડ છે તેમજ એક જ ડોઝ લેનારને બંને ડોઝના સર્ટીફીકેટ કેવી રીતે મળે તેમ જણાવી સમગ્ર મામલે ઉગ્ર તપાસ કરવાની માંગ કરી છે. જ્યારે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને પૂછવામાં આવતા તેમણે સમગ્ર મામલે કંઇ ખોટું થયું નથી અને સગાવહાલાના મોબાઇલ નંબરો સિસ્ટમમાં આપ્યા હોવાથી આવું ક્યારેક થાય તેવું રટણ કરી સબ સલામત ના દાવા કર્યા હતા. હાલ તો જે લોકો એ બીજો ડોઝ નથી લીધો તેવા લોકો હવે બીજો ડોઝ લેવા આરોગ્ય કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે અને પરેશાન થઇ રહ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અવારનવાર તંત્રની બેદરકારી છતી થઇ

નોંધનીય છેકે આ પહેલા પણ કોરોનાને લઇને તંત્રની બેદરકારી છતી થઇ ચૂકી છે, કેટલીક ઠેકાણે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને પણ કોરોના વેક્સિનના સર્ટિફિકેટ મળ્યા હોવાનું સામે આવી ચુક્યું છે. તો કેટલાક કેસમાં તો વેક્સિન ન લીધી હોય તેને પણ સર્ટિફિકેટ મળ્યા હોવાનું સામે આવી ચુક્યું છે. આમ, એક તરફ ફરી કોરોનાના નવા વેરિએન્ટની લોકોને ચિંતા સતાવી રહી છે. ત્યારે ફરી તંત્રની બેદરકારીને લઇને લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.

આ પણ વાંચો : Ahmedabad : સાયન્સ સિટી ખાતે એકવેટિક ગેલેરીમાં નવું નજરાણું ઉમેરાયું, જીતુ વાઘાણીના હસ્તે ઓપનિંગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">