ગુજરાતના પ્રવાસે PM મોદી, ગાંધી જયંતીના દિવસે સાબરમતી ખાતે 20 હજાર જેટલા સરપંચોને કરશે સંબોધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની યાત્રાએ આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ગાંધી જયંતીના દિવસે એટલે 2 ઓક્ટોબરે PM મોદી ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના સાબરમતી ખાતે એક કાર્યક્રમનું આયોજન પણ થવાના એંધાણ છે. અને આ જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સરપંચોને સંબોધન માટે ગુજરાતના પ્રવાસે આવશે. મહત્વનું છે કે, 2 ઓક્ટબરે ગાંધીજીની 150મી […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની યાત્રાએ આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ગાંધી જયંતીના દિવસે એટલે 2 ઓક્ટોબરે PM મોદી ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના સાબરમતી ખાતે એક કાર્યક્રમનું આયોજન પણ થવાના એંધાણ છે. અને આ જ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સરપંચોને સંબોધન માટે ગુજરાતના પ્રવાસે આવશે. મહત્વનું છે કે, 2 ઓક્ટબરે ગાંધીજીની 150મી જયંતીની ભવ્ય ઉજવણી થવાની છે. આ પહેલા ભારત સરકારના સેક્રેટરી 3 વખત અમદાવાદની મુલાકાતે આવી ચૂક્યા છે. અને અમદાવાદનું સ્થાનિક તંત્ર પણ પૂર તૈયારીમાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
20 હજાર જેટલા સરપંચોની હાજરીમાં PM મોદી સંબોધન કરશે. 10 હજાર જેટલા ગુજરાતમાંથી અને 10 હજાર અન્ય રાજ્યમાંથી સરપંચો આ કાર્યક્રમમાં હાજર રહેશે. સાથે સાઉથ આફ્રિકાના કેટલાક નેતાઓ અને અધિકારીઓને પણ ગાંધીજયંતીના દિવસે આમંત્રણ અપાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો બીજી તરફ રાજકોટમાં એઈમ્સનું ખાત મુહૂર્ત માટે પણ PM મોદી હાજર રહે તેવી શક્યતાઓ છે.