PM MODIએ સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ઇ-ભૂમિપૂજન કર્યું

PM Modi Inaugurated Sardardham : સરદારધામમાં 800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. સાથે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે.

PM MODIએ સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ઇ-ભૂમિપૂજન કર્યું
PM MODI performed virtual inauguration of Sardardham and e-bhumi pujan of girls hostel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 11:58 AM

AHMEDABAD : શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરદારધામનું વડાપ્રધાન મોદી (PM MODI)એ આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું અને સાથે જ કન્યા છાત્રાલયનું પણ ઇ-ભૂમિપૂજન પણ કર્યું. આ સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, પૂર્કેવ કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા સહીતના અગેવાનો ઉપસ્થિત રહ્યાં.

અમદાવાદમાં 200 કરોડના ખર્ચે 11 હજાર 670 સ્ક્વેર મીટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટમાં સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું PM મોદી ઇ-લોકાર્પણ કર્યું છે.જ્યારે, અહીં બાજુની જમીનમાં જ રૂ. 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનશે, જેનું વડાપ્રધાન મોદી દ્વારા ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી પાસે કોઈ પણ શુભ કાર્ય પહેલા ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. સદભાગ્યે, સરદાર ધામ ભવનની ગણેશપૂજા તહેવારના શુભ પ્રસંગે કરવામાં આવી રહી છે.ગઈકાલે ગણેશ ચતુર્થી હતી, આજે આખો દેશ ગણેશ ઉત્સવ મનાવી રહ્યો છે. હું તમને બંને તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

વડાપ્રધાન મોદીએ કહ્યું, “હું આપણા પ્રેરણાદાયી લોખંડી પુરુષ સરદાર સાહેબના ચરણોમાં પણ નમન કરું છું અને તેમને શ્રદ્ધાંજલિ આપું છું.સરદારધામના તમામ સભ્યોને અભિનંદન જેમણે સેવાના આ અદ્ભુત પ્રોજેક્ટને તેમના સમર્પણથી આકાર આપ્યો છે.”

વડાપ્રધાન મોદીએ આજની તારીખ 11 સપ્ટેમ્બરના રોજ ભૂતકાળમાં થયેલા બનાવો – પ્રસંગોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું આજે 11 સપ્ટેમ્બર એટલે કે 9/11 છે.વિશ્વના ઇતિહાસમાં એક એવી તારીખ જે જાણીતી છે કે માનવતા પર એક પ્રહાર છે.પણ આ તારીખે સમગ્ર વિશ્વને ઘણું શીખવ્યું! એક સદી પહેલા 11 સપ્ટેમ્બર, 1893 ના રોજ શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદ યોજાઈ હતી.આ દિવસે સ્વામી વિવેકાનંદ એ વૈશ્વિક મંચ પર ઉભા રહ્યા અને વિશ્વને ભારતના માનવ મૂલ્યો સાથે પરિચય કરાવ્યો.આજે વિશ્વને ખ્યાલ આવી રહ્યો છે કે 9/11 જેવી દુર્ઘટનાનો કાયમી ઉકેલ હશે, માત્ર માનવતાના આ મૂલ્યો દ્વારા.

જો સરદારધામની સુવિધાઓ વિશે વિગતે વાત કરીએ તો, સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને 1000-1000 વ્યક્તિઓની ક્ષમતા સાથેના 2 હોલ છે..સરદારધામ ભવનના બેઝમેન્ટ 1 અને 2 માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતું ટ્રસ્ટીશ્રી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે..સરદારધામમાં 800 દીકરાઓ અને 800 દીકરીઓ માટે અલગ-અલગ છાત્રાલય છે. સાથે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની ઈ-લાઈબ્રેરી, વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય અને વાંચનાલયની સુવિધા છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">