પિરાણા પિપળજ આગ મામલે ફેક્ટરીના માલિકની પોલીસ કરી રહી છે પૂછપરછ, જવાબદારો સામે થશે કાર્યવાહી: ACP મિલાપ પટેલ
પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો 11 પર પહોંચી ગયો છે. ત્યારે ઘટના સ્થળ પરના તપાસ અધિકારી એસીપી મિલાપ પટેલે ટીવી 9 સાથે ખાસ વાતચીત દરમિયાન કહ્યું કે બ્લાસ્ટ થવાના કારણોની તપાસ કરવામાં આવશે. સાથે જ જે કેમિકલ કંપોઝિશનના કારણે બ્લાસ્ટ થયો તે કેમિકલ કંપોઝિશન ગેરકાયદે લાવવામાં આવ્યું હતું કે કેમ તેવા અનેક કારણોને ધ્યાને રાખીને […]
પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો 11 પર પહોંચી ગયો છે. ત્યારે ઘટના સ્થળ પરના તપાસ અધિકારી એસીપી મિલાપ પટેલે ટીવી 9 સાથે ખાસ વાતચીત દરમિયાન કહ્યું કે બ્લાસ્ટ થવાના કારણોની તપાસ કરવામાં આવશે. સાથે જ જે કેમિકલ કંપોઝિશનના કારણે બ્લાસ્ટ થયો તે કેમિકલ કંપોઝિશન ગેરકાયદે લાવવામાં આવ્યું હતું કે કેમ તેવા અનેક કારણોને ધ્યાને રાખીને તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો