PATAN : ચોમાસામાં શહેરના રોડ-રસ્તા ધોવાતા વાહનચાલકો પરેશાન, તંત્ર ઘોર નિંદ્રામાં
સમી-શંખેશ્વરના ૨૨ કીમી રોડ પર પડેલા ખાડાથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની સાથે આ રોડ નજીકના આસપાસના ગામના લોકો પણ રોષે ભરાયા છે.
પાટણ જિલ્લામાં રોડ મરામત માંગી રહ્યા છે. ચોમાસામાં રોડ પર મસમોટા ખાડા પડતા અને રોડ ઘોવાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માર્ગ પરથી પસાર થતા સમયે જાણે કમરના મણકા ખસી જાય તેવી મુશ્કેલી સાથે વાહન લઇને પસાર થવું પડી રહ્યું છે. વાત છે જૈન તીર્થઘામ શંખેશ્વરના રોડની.
પાટણના જૈન તીર્થઘામનો માર્ગ બન્યો બીસ્માર. સમી-શંખેશ્વર રોડ પર પડ્યા મચમોટા ખાડા. વાહનચાલકોના શરીરઅંગો બન્યા દૂખાવો. હા.. ચોમાસું આવતા જ રોડ સામાન્ય વરસાદમાં જ ઘોવાઇ જાય છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોડ પર મોટા ખાડા પડી જાય છે. રોડની કપચી પણ રોડની કામગીરી પર સવાલો ઉભા કરે તેવી રીતે બહાર આવીને પોલ ખોલી રહી છે. સમી-શંખેશ્વરને જોડતા ૨૨ કીમી રોડ પર ઠેર ઠેર ખાડા પડતા વાહનચાલકો અને પસાર થતા આસપાસના ગામના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે..
સમી-શંખેશ્વરના ૨૨ કીમી રોડ પર પડેલા ખાડાથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની સાથે આ રોડ નજીકના આસપાસના ગામના લોકો પણ રોષે ભરાયા છે કેમ કે ગામમાં બીમાર વ્યકિતને જો સારવાર માટે ખાનગીવાહનમા ખસેડવામા આવે તો વાહનમાં જ બીમાર વ્યકિતને વઘુ પીડાનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નીર્માણ થાય છે. એવું નથી કે આસપાસના ગામના લોકોએ આ માર્ગની મરામત માટે રજૂઆત નથી કરી અનેક રજૂઆતો બાદ પણ જે રીતે રોડ પર ખાડા યથાવત્ છે તે રીતે રાજકીય નેતા અને આંધળાતંત્રની કામચોરની નીતી પણ યથાવત્ છે.
ચોમાસું આવતા જ અંતરીયાળ ગામો અને શહેરને જોડતા માર્ગ અને રસ્તા બીસ્માર બની જાય છે. અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે જો માર્ગની મરામત સમયસર કરવામાં આવે તો ચૂંટણીમાં મત માંગવા જતા નેતાઓને લોકો મત આપશે નહિ તો મત માંગવા જતા ક્યાંક લોકોના રોષનું ભોગ પણ બનવું પડે તો નવાઈ નહિ.
આ પણ વાંચો : Hum Do Hamare Do Trailer : કૃતિ સેનન સાથે લગ્ન કરવા માટે રાજકુમાર રાવ માતાપિતા ને દત્તક લેશે, ફિલ્મ પેટ પકડીને હસાવશે
આ પણ વાંચો : Amitabh bachchan : પાન મસાલા બ્રાન્ડ સાથે કરાર રદ કર્યો, ફી પરત કરી, 20થી વધુ બ્રાન્ડના એમ્બેસેડર છે બિગ બી