Panchmahal: 130 કરોડના ખર્ચે પાનમ હાઇ કેનાલ બનતા, 75 ગામનાં ખેડૂતોનો પાક હવે સફળ થવાની દિશામાં

પંચમહાલ (Panchmahal) અને મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ને પાનમ ડેમ આધારિત સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે રૂ. 130 કરોડના માતબર ખર્ચે પાનમ હાઇ લેવલ કેનાલ બનાવવામાં આવી છે.

Panchmahal: 130 કરોડના ખર્ચે પાનમ હાઇ કેનાલ બનતા, 75 ગામનાં ખેડૂતોનો પાક હવે સફળ થવાની દિશામાં
Panam canal (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 3:16 PM

ઉનાળો (Summer 2022) શરુ થતા જ ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા રહેતી હોય છે. સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોનો (Farmer) પાક સુકાઇ જાય છે અને પાકને ભારે નુકસાન થાય છે. હવે પંચમહાલ- મહીસાગરના (Panchmahal-Mahisagar) ગ્રામ્યમાં પાનમ ડેમ આધારિત 130 કરોડના ખર્ચે પાનમ હાઇ કેનાલ બની છે. જેને કારણે ખેડૂતોની સિંચાઇના પાણીનું સમાધાન થયુ છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંચાઇનું પાણી મળવાથી પંચમહાલ અને મહીસાગરના 75 જેટલા ગામોના ખેડૂતોની સમસ્યા હલ થઇ છે. આ ખેડૂતોને તેમના ખેતરોમાં હવે લીલો પાક લહેરાવાની આશા છે.

રૂ. 130 કરોડના ખર્ચે પાનમ હાઇ લેવલ કેનાલ બનાવાઇ

પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ને પાનમ ડેમ આધારિત સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે રૂ. 130 કરોડના માતબર ખર્ચે પાનમ હાઇ લેવલ કેનાલ બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 75 ગામોના 18000 હેક્ટર વિસ્તારને સિંચાઇનું પાણી પૂરું પાડવા માટે 35 કિલોમીટર લાંબી મુખ્ય કેનાલ અને 70 કિલોમીટરની માઇનોર કેનાલ બનાવવાનું આયોજન છે. હાલમાં જુદી જુદી માઇનોર કેનાલો મળીને 40 કિલોમીટર માઇનોર કેનાલોનું કામ પૂર્ણ થયુ છે. આ કેનાલ થકી 48 ચેકડેમમાં પાણી ભરવાનું તેમજ આ વિસ્તારના 75 જેટલા કુવા રિચાર્જ કરાશે અને કમાન્ડ વિસ્તારના 62 તળાવોને પાણીથી ભરવામાં આવશે.

ખેડૂતો દરેક સીઝનનો પાક લેતા થયા

આ કેનાલ થકી જળાશયોને ભરવાનું કામ શરુ કરી દેવામાં આવ્યુ છે. પાનમ હાઇ લેવલ કેનાલ મારફતે ગોધરા, શહેરા તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી મળતા ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી નહીં પરંતુ અન્ય સિઝનમાં પણ પોતાના ખેતરમાં પાક લેતા થયા છે. પાનમ કેનાલ મારફતે મળતાં સિંચાઈના પાણી દ્વારા આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઉનાળા તેમજ શિયાળુ પાક પણ લહેરાતો થયો છે. તો બીજી તરફ આ વિસ્તારના ચેકડેમ અને કુવાઓમાં પણ ભૂગર્ભ જળ સ્તર ઉંચુ આવતા પાણીનું સંકટ હતું તે દૂર થયું છે. એટલુ જ નહીં પશુઓ માટે પણ પાણીની સમસ્યા દૂર થઇ છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

બીજી તરફ પાનમ કેનાલના પાણી આવતા ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા છે. કુવામાં પણ પાણી આવતા થયા છે. જેના કારણે નાના નાના સ્થળોની પાણીની સમસ્યા દૂર થતી થઇ છે. સાથે જ હવે ખેડૂતો વરસાદ આધારિત ખેતીના સ્થાને શિયાળુ અને ઉનાળુ પાક પણ ઉત્સાહ સાથે લેતા થયા છે. સરકારની આ યોજના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની છે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">