Panchmahal : પશુઓમાં લમ્પી વાયરસના કેસ મળી આવતા રસીકરણ હાથ ધરાયું

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થઈ છે, ગોધરા નજીક આવેલ પરવડી ગમમાં આવેલી ગૌશાળામાંથી લમ્પી વાયરસ ના ૧૫ કેસ મળી આવ્યા હતા, જેને લઇને જિલ્લાનું પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે

Panchmahal : પશુઓમાં લમ્પી વાયરસના કેસ મળી આવતા રસીકરણ હાથ ધરાયું
Panchmahal Lumpy Virus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 5:34 PM

ગુજરાતમાં(Gujarat) હાલ લમ્પી વાયરસ (Lumpy Virus) ના રોગચાળાએ ભરડો લીધો છે. આ રોગ પશુઓમાં જોવા મળી રહ્યો છે, ત્યારે પંચમહાલ (Panchmahal) જિલ્લામાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થઈ છે, ગોધરા નજીક આવેલ પરવડી ગમમાં આવેલી ગૌશાળામાંથી લમ્પી વાયરસ ના ૧૫ કેસ મળી આવ્યા હતા, જેને લઇને જિલ્લાનું પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે, પશુપાલન વિભાગ દ્વારા તમામ ૧૫ ગાયોને રસીકરણ કરીને આઇશોલેશનમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. જેને લઇને આ રોગ અન્ય પશુઓમાં ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

આ જ ગૌશાળામાં 1600 ઉપરાંત પશુઓ પણ રાખવામાં આવ્યા છે, જેને લઇને આ રોગચાળો અન્ય પશુઓમાં ન વકરે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલી અન્ય ગૌશાળામાં પણ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લામાં હાલમાં 300 ઉપરાંત પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા હાલ લમ્પી વાયરસના સર્વેલન્સ માટે 22 ટીમો બનાવીને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

20 જિલ્લાઓ લમ્પી વાયરસની લપેટમાં

20 જિલ્લાઓ લમ્પી વાયરસની લપેટમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં 1600થી વધુ ગાયોના લમ્પીના કારણે મોત થયા છે. તંત્રના સબસલામતના દાવા વચ્ચે હજુ પણ લમ્પીના કેસ વધી રહ્યા છે.દાહોદ અને સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ લમ્પીગ્રસ્ત થતા ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ લમ્પી રોગના કારણે દૈનિક દૂધ ઉત્પાદનમાં પણ જંગી ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છની  ડેરીઓમાં 5થી લઈને 27 ટકા દૈનિક દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો

રાજ્યમાં લમ્પી વાયરસનો વ્યાપ સતત વકરી રહ્યો છે.ખાસ કરીને કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે.આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર માટે આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.કચ્છમાં આઇસોલેશન સેન્ટરમાં આયુર્વેદિક ઉકાળા અને અન્ય લેપ દ્વારા લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.ચેપગ્રસ્ત પશુઓ  પર ફટકડી અને લીમડાના રસાયણનો છંટકાવ કરવામાં આવે છે અને આયુર્વેદિક પદ્ધિત અપનાવીને અમૂલ્ય પશુધનને બચાવવાની કવાયત હાથધરાઈ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">