Monsoon 2022: સારા વરસાદથી રાજ્યના 81 ટકા ડેમ ભરાયા, અરવલ્લીનો હાથમતી અને મહિસાગરનો કડાણા હાઈએલર્ટ ઉપર

ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં  (Rain) વરસાદ થઈ રહ્યો છે.

Monsoon 2022: સારા વરસાદથી રાજ્યના 81 ટકા ડેમ ભરાયા, અરવલ્લીનો હાથમતી અને મહિસાગરનો કડાણા હાઈએલર્ટ ઉપર
Most of the dams overflowed in the state
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 10:36 PM

સારા વરસાદથી રાજ્યના 81 ટકા ડેમ  (Dam Overflow) ભરાયા છે અને અરવલ્લી જિલ્લાનો હાથમતી અને મહિસાગરનો કડાણા  (Kadana) ડેમ હાઈએલર્ટ પર તો દાંતીવાડામાં પાણી છોડાવાની શક્યતાએ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં  (Rain) વરસાદ થઈ રહ્યો છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

ગોલ્ડન બ્રિજ પર અવરજવર બંધ

ભરૂચમાં નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાય રહ્યું છે  અને  લોકોની સાવચેતીના ભાગરૂપે ગોલ્ડન બ્રિજ (Golden bridge) અવરજવર  માટે બંધ કરવામાં આવ્યો છે જોકે  નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વાહનવ્યવહાર ચાલુ રાખવામાં આવશે. વડોદરાના ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદમાં નર્મદા નદી તોફાની બની છે. ચાંદોદના મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા નર્મદા નદીમાં ડૂબી ગયા છે. હવે ફક્ત 13 પગથિયા જ બહાર દેખાય છે. સરદાર સરોવરમાં લાખો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ચાંદોદ આસપાસના ગામોને એલર્ટ કરી દેવાયા છે. તંત્ર દ્વારા પણ લોકોને સોશિયલ મીડિયા દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

ધરોઈ  ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા

મહેસાણામાં આવેલા ધરોઈ ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે અને ધરોઈ ડેમની જળસપાટી 619.02 ફૂટ જળવાઈ રહી છે ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ સામે હાલ 619.02 ફૂટ જળસપાટી છે અને ડેમમાં 26,258 ક્યુસેક  પાણીની આવક સામે 26,258 ક્યુસેક જાવક થઈ રહી  છે અને પાણીનો જથ્થો 88.47 ટકા થયો છે.

કડાણા ડેમમાંથી પાણી છોડ઼વામાં આવ્યું

કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવતા લુણાવાડાના તાંતરોલી બ્રિજ પર અવર-જવર બંધ કરવામાં આવી છે,,, હરીગરના મુવાડા, કાળિબેલ, મોવાસાનો વાહન-વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. મહી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહને જોઈને સાવચેતી માટે બ્રિજ પરથી વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. પાણીનું લેવલ ઘટશે ત્યારે બ્રિજ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે

દાહોદનો માછણ ડેમ છલકાયો

દાહોદના ઝાલોદ તાલુકાની જીવાદોરી સમાન માછણડેમ સંપૂર્ણ ભરાયો છે. જ્યારે પંચમહાલના હડફ ડેમની જળસપાટી ભયજનક સપાટીથી માત્ર એક મીટર દૂર છે. જેને લઈને ડેમમાંથી 670 ક્યૂસેક પાણી છોડાયું. ઉપરાંત અરવલ્લીના માજમ ડેમમાંથી 4700 ક્યૂસેક પાણી છોડાયું  આ ઉપરાંત મહિસાગરના કડાણા અને ભાદર, પટણનો સરસ્વતી, નર્મદાનો સરદાર સરોવર તેમજ સાબરકાંઠાનો હાથમતી ડેમની જળસપાટી વધી છે.

હવામાન વિભાગની  ભારે વરસાદની આગાહી

રાજયમાં ફરીથી  વરસાદી માહોલ જામ્યો છે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે  વરસાદનું જોર વધશે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ પડશે.તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં ભારે વરસાદની (Heavy rain) આગાહી છે. તો અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ રહેશે. સાથે જ આજે માછીમારોને (Fisherman) દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">