અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ રહેજો સાવધાન! જુઓ VIDEO
પંચમહાલના શહેરામાં અંબાજી જઈ રહેલા 3 પદયાત્રીના કમકમાટીભર્યા મોત થયા છે. પદયાત્રીઓ ભાદરવી પૂનમ નિમિત્તે મા જગદંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે જઈ રહ્યા હતા. તેઓ શહેરા-લુણાવાડા હાઈવે પરથી રાત્રિ દરમિયાન પસાર થઈ રહ્યા હતા, ત્યારે લાભી પાટિયા પાસે કારચાલકે તેમને અડફેટે લઈ લીધા. જેમાં 3 પગપાળા યાત્રીના મોત થયા છે. તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ […]
પંચમહાલના શહેરામાં અંબાજી જઈ રહેલા 3 પદયાત્રીના કમકમાટીભર્યા મોત થયા છે. પદયાત્રીઓ ભાદરવી પૂનમ નિમિત્તે મા જગદંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે જઈ રહ્યા હતા. તેઓ શહેરા-લુણાવાડા હાઈવે પરથી રાત્રિ દરમિયાન પસાર થઈ રહ્યા હતા, ત્યારે લાભી પાટિયા પાસે કારચાલકે તેમને અડફેટે લઈ લીધા. જેમાં 3 પગપાળા યાત્રીના મોત થયા છે. તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. યાત્રીકો દેવગઢબારિયા તાલુકાના ભુતપગલા અને સીંગવડ તાલુકાના ચુંદડી પરબીયાના રહેવાસી છે. તેમને પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવાનો હરખ હતો, પરંતુ કમનસીબે તેમની પદયાત્રા સફળ ન થઈ. રસ્તામાં એક કાર યમદૂત બનીને આવી અને તેમને ભરખી ગઈ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં અમરેલીની APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2240, જાણો જુદા-જુદા પાકોના ભાવ
[yop_poll id=”1″]