VIDEO: રાજકોટમાં મિલકત વેરાને લઈને મનપા કમિશ્નરની કાર્યવાહી, 200 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી
રાજકોટમાં મિલકત વેરાને લઇ મહાનગરપાલિકા કમિશનરે કરી છે મોટી કાર્યવાહી. શહેરના 150 ફૂટ રોડ પર આવેલા બિગ બજાર, પેન્ટાલૂન્સ અને રાધેકૃષ્ણ જ્વેલર્સ સહિત 200 મિલકતો સીલ કરી દેવામાં આવી છે. મહત્વનં છે કે, મહાનગરપાલિકાએ બાકીદારો પર મેગા ઝૂંબેશ શરૂ કરી છે. આ પણ વાંચો: Defence Expo 2020: જાણો સરકારનો ડિફેન્સ ક્ષેત્રે શું પ્લાન છે? PM […]
રાજકોટમાં મિલકત વેરાને લઇ મહાનગરપાલિકા કમિશનરે કરી છે મોટી કાર્યવાહી. શહેરના 150 ફૂટ રોડ પર આવેલા બિગ બજાર, પેન્ટાલૂન્સ અને રાધેકૃષ્ણ જ્વેલર્સ સહિત 200 મિલકતો સીલ કરી દેવામાં આવી છે. મહત્વનં છે કે, મહાનગરપાલિકાએ બાકીદારો પર મેગા ઝૂંબેશ શરૂ કરી છે.
આ પણ વાંચો: Defence Expo 2020: જાણો સરકારનો ડિફેન્સ ક્ષેત્રે શું પ્લાન છે? PM મોદીએ આપી જાણકારી
તંત્રએ 18 વોર્ડમાં 36 ટીમો ઉતારી છે. આ ટીમ જેનો મિલકત વેરો બાકી હોય તેમનો વેરો વસૂલવાની કાર્યવાહી કરશે. આ કાર્યવાહીની શરૂઆત પણ થઇ ગઇ છે જે પણ મિલકત સીલ કરવામાં આવશે તેની હરાજી પણ કરવાની તૈયારી મહાનગરપાલિકાએ કરી લીધી છે. ચાલુ વર્ષે 260 કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક વેરા વસુલાત શાખાએ નક્કી કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો