VIDEO: સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ પર ફાયર વિભાગની તવાઈ, 100થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી
સુરતમાં રિંગ રોડ પર આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં ફાયર વિભાગે તવાઈ બોલાવી છે. અહીં 100થી વધુ દુકાનોને સીલ મારી દેવાયું છે. ફાયર સેફ્ટીનો અભાવ અને અકસ્માતના સમયે ભાગવા માટે માત્ર એક જ રસ્તો હોવાના કારણે માર્કેટની દુકાનો સીલ કરવામાં આવી છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ […]
સુરતમાં રિંગ રોડ પર આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં ફાયર વિભાગે તવાઈ બોલાવી છે. અહીં 100થી વધુ દુકાનોને સીલ મારી દેવાયું છે. ફાયર સેફ્ટીનો અભાવ અને અકસ્માતના સમયે ભાગવા માટે માત્ર એક જ રસ્તો હોવાના કારણે માર્કેટની દુકાનો સીલ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેમાં અરિહંત માર્કેટની 83 દુકાનો, રિદ્ધિ સિદ્ધિ માર્કેટની 11 દુકાનો અને મનિષ માર્કેટની 10 દુકાનો સીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતમાં રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. અહીં મોટે ભાગે ટેક્સટાઈલની દુકાનો અને કારખાના આવેલા હતા. જે તમામ બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારબાદ આગની બીજી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ગુજરાતના અધિકારીઓ બન્યા બેફામ? તલાટીના ભ્રષ્ટાચારનો VIDEO થયો વાયરલ