CORONA સામે હવે તો સ્વંય જાગૃત થઇએ, ગુજરાતમાં અનેક ઠેકાણે સ્વંયભૂ LOCKDOWN

CORONA મહામારીએ રાજયભરમાં હાલ પ્રકોપ પાથર્યો છે. ત્યારે અન્ય રાજયોમાં તો રાજય સરકારે લોકડાઉન આપી દીધું છે. પરંતુ, ગુજરાતમાં લોકડાઉનને લઇને કોઇ જ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી.

CORONA સામે હવે તો સ્વંય જાગૃત થઇએ, ગુજરાતમાં અનેક ઠેકાણે સ્વંયભૂ LOCKDOWN
File Image
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 4:15 PM

CORONA મહામારીએ રાજયભરમાં હાલ પ્રકોપ પાથર્યો છે. ત્યારે અન્ય રાજયોમાં તો રાજય સરકારે લોકડાઉન આપી દીધું છે. પરંતુ, ગુજરાતમાં લોકડાઉનને લઇને કોઇ જ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી. જેને લઇને અનેક વેપારી સંગઠનો અને એસોસિયેશનોએ સ્વંયભૂ બંધનું એલાન આપ્યું છે. સ્વંય જાગૃતિ કેળવીને રાજયનાં અનેક શહેરોમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તે છે. અને, આ બંધમાં વેપારીઓની સાથે લોકો પણ સ્વૈચ્છિક રીતે જોડાયા છે. આજે કયાં શહેરોમાં કંઇ જગ્યાએ સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો તેની વિગતવાર વાત કરીએ.

સુરતમાં આંગડીયા પેઢીઓએ પાળ્યું બંધ

સુરતમાં આજથી તમામ આંગડીયા પેઢી સ્વંયભૂ બંધમાં જોડાઇ હતી. અને, સુરતમાં આંગડીયા પેઢી 2 મેં સુધી સ્વૈચ્છિક બંધ પાળશે. કોરોના મહામારીને કારણે મહારાષ્ટ્રમાં લોકડાઉનની જાહેરાત કરાઇ છે. જેને સુરતમાં પણ બંધ રહેશે. આ નિમિતે ઘણા આંગડીયા કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેથી કોરોના સંક્રમણની ચેઇનને તોડવામાં આંગડીયા પેઢીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધનું એલાન અપાયું છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

કચ્છના વિવિધ શહેરોમાં પણ સ્વૈચ્છિક લૉકડાઉન

કચ્છ જિલ્લામાં પણ કોરોનાની વિકટ પરિસ્થિતિ ઉદભવી છે. જેથી અંજાર, મુન્દ્રા, ભૂજમાં 3 દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન અપાયું છે. કોરોનાના સંક્રમણને પગલે લોકો જાગૃત બન્યા છે. અને, જેની અસર બજારો પર જોવા મળી છે. જેમાં ભૂજના મુખ્ય બજારમાં બંધની વ્યાપક અસર જોવા મળી છે. માંડવીમા પણ આવતીકાલથી 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે. આ બંધમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના વેપાર-ધંધા બંધ રહ્યાં છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ બંધની અસર જોવાઇ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર અને મોટાભાગના તાલુકાઓમાં સ્વૈચ્છિક જનતા કરફ્યૂ જોવા મળ્યો છે. જેમાં આજથી પાંચ દિવસ માટે પાલનપુર સંપૂર્ણ બંધ રહેશે. તો જિલ્લાના અન્ય શહેરો જેવા કે ધાનેરા, દિયોદર, અમીરગઢ, વડગામ, થરાદ પંથકમાં સજ્જડ બંધ જોવા મળ્યો છે. કોરોનાના વધતા કેસના કારણે તંત્ર અને વેપારીઓનો સ્વૈચ્છિક નિર્ણય છે.

ગોધરા શહેરમાં બજારો સંપૂર્ણ બંધ તો ગોધરા શહેરમાં પણ આજથી ત્રણ દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે. વેપારી મંડળો અને તંત્રની પરસ્પર સંમતિથી આ લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં નિર્ણય કરાયો છેકે તારીખ 26 એપ્રિલે આંશિક બજારો ખુલશે. 26 એપ્રિલથી 5 મે સુધી આંશિક લોકડાઉન અમલી રહેશે. 26 એપ્રિલથી 5 મે સુધી બપોરના 2 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">