ગુજરાતમાં કોરોના વાઈરસના કેટલા કેસ? જાણો આરોગ્ય વિભાગની કેવી છે તૈયારી
ગુજરાત હજુ સુધી કોરોના મુક્ત છે. રાજ્યમાં કોરોના વાઈરસનો હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યના 38 શંકાસ્પદ દર્દીના નમૂના પરીક્ષણ અર્થે પૂણે મોકલાયા હતા. જે પૈકી 37 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક દર્દીનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. રાજ્યનું આરોગ્ય વિભાગ કોરોના સામે સજ્જ છે. અમદાવાદ એરપોર્ટ પર 16478 મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું. […]
ગુજરાત હજુ સુધી કોરોના મુક્ત છે. રાજ્યમાં કોરોના વાઈરસનો હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યના 38 શંકાસ્પદ દર્દીના નમૂના પરીક્ષણ અર્થે પૂણે મોકલાયા હતા. જે પૈકી 37 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક દર્દીનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. રાજ્યનું આરોગ્ય વિભાગ કોરોના સામે સજ્જ છે. અમદાવાદ એરપોર્ટ પર 16478 મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું. તો ગુજરાતમાં 24 વહાણના 1454 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
તો કેટલાક સ્થળોએ માસ્ક, સેનિટાઈજરની માગી વધી છે. આ મુદ્દે આરોગ્ય અધિકારીએ કહ્યું કે તમામ લોકોએ માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. પરંતુ ભીડભાડથી દૂર રહીને સાવચેતી રાખવી જોઈએ. ડાકોરના મેળામાં વિદેશથી આવેલા ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં આરોગ્ય વિભાગ કોરોના સામે લડવા સજ્જ હોવાનો પણ દાવો થયો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો