Morbi tragedy: હળવદ GIDC ના એક કારખાનામાં મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 12 શ્રમિકોના મોત
મોરબી જિલ્લાના (Morbi District) હળવદ GIDC ના મીઠાના એક કારખાનામાં મોટી દુર્ઘટના ઘટી છે, આ ગંભીર દુર્ઘટનામાં 12 જીંદગી હોમાતા લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.
Morbi News : મોરબી જિલ્લાની હળવદ GIDCમાં મીઠાના કારખાનામાં (Factory) મોટી દુર્ઘટના સમચાર મળી રહ્યા છે. કારખાનામાં દિવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મૃત્યુ થયા છે.હાલ તંત્ર(Morbi District) દ્વારા દિવાલ નીચે દબાયેલા (Wall Collapse) લોકોને બહાર કાઢવા કામગીરી કરવામાં આવી રહી છે.ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટમાં ખસેડવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાને મૃતકો માટે વ્યક્ત કરી સંવેદના
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the tragedy in Morbi. The injured would be given Rs. 50,000: PM @narendramodi https://t.co/AlbwctnOUy
— PMO India (@PMOIndia) May 18, 2022
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતેં GIDC માં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. pic.twitter.com/OWXbi0oE7d
— CMO Gujarat (@CMOGuj) May 18, 2022
ભાજપના નેતાએ ટ્વિટ કરી શોક વ્યકત કર્યો
ભાજપના નેતા અને પુર્વ મંત્રી જયંતિભાઈ કેવડીયાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.તેણે લખ્યું કે, ભગવાન શ્રમિકોના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના
શ્રમિકોના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. pic.twitter.com/HSknfPqhn7
— Jayantibhai Kavadiya (@jkavadiya) May 18, 2022
હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાની આસપાસ અચાનક કારખાનાની દીવાલ ધસી પડતાં અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાયા હતા. ઘટના બાદ તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. હાલ વેકેશનનો સમયગાળો હોવાથી આ ઘટનામાં માસૂમ બાળકો પણ ભોગ બન્યાં હોવાની આશંકા સેવાઇ રહી છે. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.