ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કરફ્યુ વધુ એક સપ્તાહ લંબાવાયો, 18 મે સુધી રાત્રીના 8થી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્માની દુકાનો ચાલુ રહેશે
ગુજરાતના ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ રાખવામાં આવ્યો છે તેની મુદત વધુ એક સપ્તાહ લંબાવાઈ છે. રાત્રી કરફ્યુની સાથેસાથે વધારાના જે મર્યાદિત નિયંત્રણો લાદવામાં આવેલા હતા તે પણ વધુ એક સપ્તાહ સુધી યથાવત રાખવામાં આવ્યા છે. આગામી ૧૮મી મે સુધી દરરોજ રાત્રીના ૮ વાગ્યાથી બીજા દિવસના સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ 36 શહેરોમાં ચાલુ રહેશે.
આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.