શિવજી સિવાય કોઈ બીજાની નીલકંઠ તરીકે પૂજા ન થઈ શકે, હરિદ્વારના મહંતોએ મોરારિ બાપુનું કર્યું સમર્થન, જુઓ VIDEO
નીલકંઠવર્ણી અંગે મોરારિ બાપુના નિવેદનનો વિવાદ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. હરિદ્વારના મહંતોએ પણ મોરારિ બાપુનું સમર્થન કર્યું છે. હરિદ્વારના જગદગુરૂ આશ્રમના અધ્યક્ષ શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમ અને પંચાયતી મહાનિર્વાણી અખાડાના મહંત રવિન્દ્રપુરી મોરારિ બાપુના સમર્થનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે સમુદ્ર મંથન વખતે શિવજીએ વિષ પીધુ હતું પણ તેમણે વિષ પેટમાં ઉતાર્યા વિના ગળામાં જ અટકાવી […]
નીલકંઠવર્ણી અંગે મોરારિ બાપુના નિવેદનનો વિવાદ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. હરિદ્વારના મહંતોએ પણ મોરારિ બાપુનું સમર્થન કર્યું છે. હરિદ્વારના જગદગુરૂ આશ્રમના અધ્યક્ષ શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમ અને પંચાયતી મહાનિર્વાણી અખાડાના મહંત રવિન્દ્રપુરી મોરારિ બાપુના સમર્થનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે સમુદ્ર મંથન વખતે શિવજીએ વિષ પીધુ હતું પણ તેમણે વિષ પેટમાં ઉતાર્યા વિના ગળામાં જ અટકાવી રાખ્યું હતું અને બહાર પણ નહોતું કાઢ્યું. શિવજીએ વિષને કંઠમાં જ જાળવી રાખતા તેમનું નામ નીલકંઠ પડ્યું હતું. જેથી તેમના સિવાય કોઈ બીજાની નીલકંઠ તરીકે પૂજા ન થઈ શકે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO