Navsari: નવસારી નગરપાલિકાની કંગાળ સ્થિતિ, આટલી રકમનું છે દેવું

નવસારી (Navsari) નગરપાલિકાનું શાસન અવળી દિશામાં જઇ રહ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 20, 2021 | 5:07 PM

બહુજન સુખાય બહુજન હિતાય કામગીરી પાલિકાઓ પોતાના શહેરીજનો માટે કરતી હોય છે, પરંતુ નવસારી (Navsari) નગરપાલિકાનું શાસન અવળી દિશામાં જઇ રહ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. શહેરીજનોને મધુર જળ યોજના હેઠળ 20 વર્ષથી સિંચાઇ વિભાગને પાણીના પૈસા ન ચૂકવતાં ચાલીસ કરોડ જેટલી મોટી રકમનું દેવું થઈ જતાં પાલિકા દેવાદાર બની છે.

પાયાની જરૂરિયાત ગણાતી પીવાના પાણીની સુવિધાને લઇ પાલિકાના શાસકોએ ભાંગરો વાટયો હોવાના કારણે 40 કરોડ રૂપિયા જેટલું દેવું થઈ ગયું છે. જેની માંડવાળ માટે પાલિકાએ સેટલમેન્ટ કરી દેવું ચૂકવવા માટે રાજ્ય સરકારની મધ્યસ્થીમાં રસ્તો કાઢ્યો હતો, પરંતુ પાલિકા 14 કરોડ જેટલી મોટી રકમ ભરવામાં નિષ્ફળ ગઈ હતી. પાલિકાના સિંચાઇ પેટા સિંચાઇ વિભાગને જેમાં 26 કરોડ જેટલી મોટી રકમ વ્યાજ અને વિવિધ પેનલ્ટીને લઈને વધી ગયા છે.

પાલિકાએ સેટલમેન્ટમાં એક સાથે 14 કરોડ ભરી સમગ્ર દેવું માફ થાય તેવી યોજના ઘડી કાઢી હતી, પરંતુ પાલિકાના શાસકો 14 કરોડના બદલે માત્ર અઢી કરોડ ભરી શક્યા છે જેને લઇ ફરીથી પાલિકાએ 40 કરોડ જેટલું દેવું ભરપાઈ કરવું પડે એવા સંજોગો ઊભા થયા છે. શહેરીજનોને સિંચાઇ વિભાગમાંથી પાણી લાવી તળાવમાં સંગ્રહ કરી પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. દર વર્ષે કનેક્શન દીઠ 800 જેટલી રકમ વસૂલવા છતાં દેવું વધી જતા શહેરીજનો પણ પાલિકાના શાસન સામે અને વહીવટ સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">