Navsari : ખેડૂતો માટે ત્રાસદાયક છે લેપ્ટોસ્પાયરોસિસ રોગ, નિયંત્રણ માટે જીલ્લા તંત્રએ ઝુંબેશ હાથ ધરી

Navsari : નવસારી જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસ (Leptospirosis) રોગ દર ચોમાસામાં ભરડો લે છે. ખેડૂતોને આ બીમારીથી બચાવવા માટે તંત્રએ ઝુંબેશ શરૂ કરી છે.

Navsari : ખેડૂતો માટે ત્રાસદાયક છે લેપ્ટોસ્પાયરોસિસ રોગ, નિયંત્રણ માટે જીલ્લા તંત્રએ ઝુંબેશ હાથ ધરી
લેપ્ટોસ્પાયરોસિસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 12:11 PM

Navsari : સમગ્ર ગુજરાતમાં ખેડૂતો (Farmers) માટે ભયસમાન લેપ્ટોસ્પાયરોસિસ (Leptospirosis) નામની બીમારીએ ભરડો લીધો છે. ઉંદરના મળ મૂત્ર મારફતે ફેલાતા આ રોગને અટકાવવા નવસારી જીલ્લાનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન ખેત મજુરો ઉપર લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારીનો ખતરો ગત દિવસોમાં વધ્યો હતો. સરકાર દ્વારા આ રોગના નિયંત્રણ માટે મોટી ઝુંબેશ હાથ ધરી છે.

જેને પગલે નવસારી જીલ્લામાં ગત વર્ષ 2020માં એક પણ લેપ્ટોસ્પાયરોસિસનો દર્દી નોંધાયો નથી. સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ સમયસર આ બિમારી નિયંત્રણ માટેના પગલા લેવામાં આવે અને ઉંદર મારવાની દવાનું વિતરણ વહેલી તકે કરવામાં આવે તો ગત વર્ષની જેમ આ વર્ષે એક પણ કેસ નહીં નોંધાય અને ખેડૂત આ બિમારીમાંથી બચી શકે.

લેપ્ટોસ્પાયરોસિસ બીમારીનો શિકાર શરુઆતના સમયમાં ઘણા લોકો થતા હતા પરંતુ સરકાર દ્વારા લેવાયેલ તકેદારીના પગલાને કારણે છેલ્લા 5 વર્ષમાં નવસારી જીલ્લામાં 46 કેસ અને 3 લોકોના મોત નિપજ્યા છે. આ બીમારીને અટકાવવા જૂનથી ઓક્ટોબર સુધી ફિલ્ડ લેવલના આરોગ્ય કર્મચારીઓ કામે લાગ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ચોમાસા ઋતુમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં લેપ્ટોસ્પાઇરોસિસ નામનો રોગ ખાસ કરીને ખેત મજૂરોમાં એટલે શેરડી અને ડાંગરના ખેતરોમાં કામ કરતા લોકોમાં જોવા મળે છે. શરૂઆતના સમયમાં આ રોગના ઘણા કેસો સામે આવતા હતા પરંતુ દિવસેને દિવસે તેની સંખ્યા ઘટતી ગઈ છે.

લેપ્ટોસ્પાઇરોસિસના જીવાણુ જે હાથ પગના કાપામાંથી દાખલ થતા હોય છે. તેના સારવાર માટે આયોડિન મલમ અને અન્ય મલમ અને જો આ મલમ ન હોય તો હળદર અને તેલનું મિશ્રણ કરીને પણ લગાવે તેવી સમજ આપવામાં આવે છે. ઉઘાડા પગે ખેડૂતો ખેતરમાં ખેતી કરવા ન જાય તેના માટે પણ સાવચેતીના પગલાં લેવામાં આવે છે.

આગામી સમયમાં આ રોગના કેસો ન આવે તે માટે સરકારે આયોજન તો કરી દીધું છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ વહેલી તકે તકેદારીના ભાગ રૂપે પગલા લેવામાં આવે તો નવસારી જિલ્લાને આ બીમારીમાંથી બહાર લાવી શકાય.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">