Navsari : 3 વિધાર્થીઓ સહીત 5 કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવતા તંત્ર દોડતું થયું, સામાન્ય લક્ષણ જણાતાં રાહત અનુભવાઈ

કોરોના સંક્રમણના મામલા ત્રીજી લહેર બાદ લગભગ ફેબ્રુઆરી મહિનાથી ઘટતાં રહ્યા હતા અને ઘણો સમય એકપણ પોઝટિવ કેસ નોંધાયો ન  હતો. ઘણા સમયથી લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને અલવિદા કહી દીધું હતું.જોકે ફરી કેસની સંખ્યા વધવા લગતા ચિંતા વધી છે.

Navsari : 3 વિધાર્થીઓ સહીત 5 કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવતા તંત્ર દોડતું થયું, સામાન્ય લક્ષણ જણાતાં રાહત અનુભવાઈ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 7:52 AM

નવસારી(Navsari) જિલ્લો લાંબા સમયથી કોરોના (Corona) મુક્ત રહયા બાદ ફરીવાર અહીં કોરોનાએ માથું ઉચક્યું છે. લાંબા  સમયની રાહત બાદ ગુરુવારે કોરોનના  5  પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે જેને લઇને આરોગ્ય વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લામાં  એક્ટિવ કેસનો આંકડો 12 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ત્રીજી લહેર બાદ નવસારીમાં કોરીનાએ વિદાય લીધી હોય તેલ લાગી રહ્યું હતું. જોકે ફરી સામે આવી રહેલા સંક્રમણના મામલાઓ ચિંતા વધારી રહયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 5 મામલાઓ સામે આવતા આરોગ્યવિભાગ દોડતું થયું છે. આ સામે સંક્રમિતોની તબિયત ચિંતાજનક સ્તરે ન હોવાથી રાહત પણ મળી છે.

સંક્રમિતઓમાં ત્રણ વિદ્યાર્થીઓ

કોરોના સંક્રમણના મામલા ત્રીજી લહેર બાદ લગભગ ફેબ્રુઆરી મહિનાથી ઘટતાં રહ્યા હતા અને ઘણો સમય એકપણ પોઝટિવ કેસ નોંધાયો ન  હતો. ઘણા સમયથી લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને અલવિદા કહી દીધું હતું.જોકે ફરી કેસની સંખ્યા વધવા લગતા ચિંતા વધી છે. ગુરુવારે નોંધાયેલા પાંચ કેસ પૈકી 3 દર્દીઓના હોમ આઈસોલેશનની સુવિધા ન હોવાથી આરોગ્ય વિભાગે આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી રહી  છે. આ પાંચ દર્દીઓ પૈકી 3 દર્દીઓ 18 વર્ષ સુધીના  છે ત્યારે આરોગ્ય વિભાગ સાથે શિક્ષણ વિભાગમાં પણ ચિંતા ફેલાઈ છે. જિલ્લામાં કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ રસીકરણ સાથે કોરોના ગાઇડલાઇનના પાલન માટે સક્રિય રહીને જિલ્લાને ફરીવાર કોરોના મુક્ત રાખવામાં આરોગ્ય વિભાગ મદદરૂપ થવું જરૂરી થઈ પડ્યું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દેશમાં ફરી કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે

ગુરુવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં 12,213 નવા કેસ નોંધાયા છે. હવે દૈનિક પોઝિટિવ રેટ વધીને 2.35 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 7,624 રિકવરી નોંધાઈ છે અને હવે સક્રિય કેસ 58,215 છે. ઘણા રાજ્યોમાં ચેપનો દર વધ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં જ્યાં એક જ દિવસમાં કેસ 36 ટકા વધીને 4024 થઈ ગયા છે. ગઈકાલે રાત સુધી ભારતમાં બુધવારે 8641 કેસ નોંધાયા હતા પરંતુ કેટલાક રાજ્યોમાંથી ડેટાની રાહ જોવાઈ રહી હતી.આ રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે, જ્યાં 1950 કેસ નોંધાયા હતા. સાત દિવસથી અહીં કેસ વધી રહ્યા છે. આ પહેલા મંગળવારે દેશમાં 8828 કેસ નોંધાયા હતા. ફરીએકવાર કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું જરૂરી જણાઈ રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">