Navsari : ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને પગલે રોષ ભભૂક્યો, જિલ્લા પંચાયતના પ્રમુખની દુકાન સળગાવાઈ
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈ રાજકારણ ગરમાયુ છે. આજે પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ અનંત પટેલની મુલાકાત લે તેવી સંભાવના છે.
નવસારીના (Navsari) વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ (MLA Anant patel) પર હુમલો કરવાનો જેના પર આરોપ છે, તે ભીખુ આહિરની દુકાન સળગાવી દેવાઈ છે. ભીખુ આહિર નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. ભીખુ આહિર (Bhikhu ahir) અને રીન્કુ નામના શખ્સની ધરપકડ કરવાની માંગ ઉઠી છે. આદિવાસી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જલદીમાં જલદી બંનેની ધરપકડ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. તો અનંત પટેલ પર થયેલા હુમલાને લઈ રાજકારણ ગરમાયેલું છે. આજે પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ (Congress leader MLA Anant Patel) અનંત પટેલની મુલાકાત લે તેવી સંભાવના છે.
Alleged attack on MLA Anant Patel row: tribal community set ablaze the accused Bhikhu Ahir’s shop#Navsari #Gujarat #TV9News pic.twitter.com/auU1y0y9KW
— Tv9 Gujarati (@tv9gujarati) October 9, 2022
રાહુલ ગાંધીએ ભાજપ સરકારને આડે હાથ લીધી
તો બીજી તરફ કોંગી MLA પરના હુમલાને લઈને રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપ પર પ્રહાર કર્યા હતા અને ટ્વીટ (tweet) કરીને કહ્યુ હતું કે, ભાજપે કાયરતા સાથે અમારા ધારાસભ્ય પર હુમલો કર્યો છે. આ ભાજપ સરકાર બોખલાઈ ગઈ છે. પરંતુ અમારા આદિવાસી કાર્યકર્તા પોતાના છેલ્લા શ્વાસ સુધી લડાઈ ચાલુ રાખશે.
गुजरात में ‘पार-तापी रिवर लिंक प्रोजेक्ट’ के खिलाफ आदिवासी समाज की लड़ाई लड़ने वाले हमारे MLA अनंत पटेल जी पर भाजपा द्वारा कायराना हमला निंदनीय है।
यह BJP सरकार की बौखलाहट है। कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता आदिवासियों के हक़ की लड़ाई के लिए आख़िरी साँस तक लड़ेगा।#DaroMat pic.twitter.com/rf9OY76lCZ
— Rahul Gandhi (@RahulGandhi) October 8, 2022