નવસારી : સી.આર.પાટીલના હસ્તે ઓક્સિજન મશીનનું લોકાર્પણ, દરેક મિનિટે 250 લીટર ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા

ઓક્સિજન મશીન દરેક મિનિટે હવામાંથી 250 લીટર ઓક્સિજન બનાવી શકે છે. જેની કિંમત 55 લાખ રૂપિયા જેટલી છે.જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલ મળીને 20થી વધુ ઓક્સિજન પ્લાન્ટ ઊભા થતાં હવે જિલ્લાને કોઇ પણ વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનનો પ્રવાહ મળી રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 10:48 PM

નવસારીની (Navsari) પટેલ સમાજની હોસ્પિટલમાં ભાજપ પ્રદેશ અધ્ય્ક્ષ સી.આર.પાટીલે (C.R.Patil) ઓક્સિજન મશીનનું (Oxygen plant)લોકાર્પણ કર્યું.ઓક્સિજન મશીન દરેક મિનિટે હવામાંથી 250 લીટર ઓક્સિજન બનાવી શકે છે. જેની કિંમત 55 લાખ રૂપિયા જેટલી છે.જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલ મળીને 20થી વધુ ઓક્સિજન પ્લાન્ટ ઊભા થતાં હવે જિલ્લાને કોઇ પણ વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનનો પ્રવાહ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાયરસના કેસ નહિવત છે. પરંતુ જો હવે કોરોનાની લહેર આવે અને ઓક્સિનની અછત ન સર્જાય તેના માટે આ વ્યવસ્થા કરાઈ છે. હાલ નવસારી જિલ્લામાં માત્ર 6 એક્ટીવ કેસ છે.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના નેજા હેઠળ પ્લાન્ટ તૈયાર થયો

નવસારીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજના (Saurashtra Leuva Patel Samaj)નેજા હેઠળ કાર્યરત સરદાર પટેલ હોસ્પિટલને સ્માર્ટ કેમ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની સંસ્થાના સહયોગથી 55 લાખની કિંમતનો એક ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો છે. જેના થકી હોસ્પિટલ હવે ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને ઓક્સિજનનો પ્રવાહ વિધ્ન વગર ઉપલબ્ધ કરાવી શકશે. જેના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ સી.આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિત જિલ્લા કલેક્ટર, DDO અને જિલ્લા પોલીસ વડા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો : દમણ નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સીપાલની હત્યાનો ઉકેલાયો ભેદ, કોલેજમાં ચાલતા કૌભાંડને છુપાવવા હત્યા થઇ

આ પણ વાંચો : વડોદરા : હેલ્થ અવેરનેસના ભાગરૂપે સિએટ સિટી રોડ રનર્સ મેરેથોન યોજાઇ, 300 ખેલાડીઓએ ભાગ લીધો

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">